બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દુદાણા ગામે શીતળા માતાજીનું પૌરાણિક મંદિર, પ્રસાદીનું પાણી પીવાથી રોગમુક્તિની માન્યતા

દેવ દર્શન / દુદાણા ગામે શીતળા માતાજીનું પૌરાણિક મંદિર, પ્રસાદીનું પાણી પીવાથી રોગમુક્તિની માન્યતા

Last Updated: 06:28 AM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના કોડીનારમાં દુદાણા ગામ ખાતે આવેલું પૌરાણિક શીતળા માતાજીનું મંદિર ગીરના લોકોમાં અનેરી આસ્થા ધરાવે છે. માતાજી ચામડીના રોગોમાં શીતળતા પ્રદાન કરેછે એટલે શીતળા માતાજીના નામથી પ્રસિદ્ધ છે. દુદાણા ગામના આ મંદિરે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના બાળકો સાથે શીતળા માતાના દર્શને આવી, માતાના દર્શન કરીને પોતાના પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. આજે દેવદર્શનમાં દર્શન કરીશું શીતળા માતાજીના.

કોડીનારના દુદાણા ગામે શીંગવડા નદીના કિનારે શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં બિરાજમાન શીતળા માતા સ્વયંભૂ છે. માતાજીની બાજૂમાં બળિયાદેવ પણ બિરાજમાન છે જેમને અહીંના લોકો ધાહિયાબાપા તરીકે ઓળખે છે. જેના અનેક ઐતિહાસિક પુરાવા જોવા મળે છે. શીતળા માતા દુદાણા ગામમાં વર્ષો પૂર્વેથી માઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે. ગીરના લોકોને શીતળા માતામાં અતૂટ ભરોસો છે.

શીતળા માતાજી બાળકોની સાથે સમગ્ર પરિવારનું રક્ષણ કરે તે માટે ભાવિકો પ્રાર્થના કરીને શીતળા સાતમની ઉજવણી કરે છે. બાળકોને થતી મોટી ઉધરસ સહિતના અનેક રોગોમાં અહીંથી બળીયાદેવ એટલે કે ધાહિયાબાપાનું પાણી પીવડાવવાથી બાળકોની તબિયત સારી થવાની માન્યતા છે. કોરોના કાળમાં મનુષ્યોની અને લમ્પી વાયરસમાં પશુઓની માતાજીએ રક્ષા કરી હોવાની સ્થાનિક લોકોની માન્યતા છે.

શીતળા માતાજીના મંદિરે શ્રાવણ માસની વદ સાતમ અને ચૈત્રી માસની સુદ સાતમ તેમજ જેઠ માસ ની સાતમે ભાવિકો ઉમટી પડે છે. અહીં જિલ્લાભરમાંથી તેમજ દૂરદૂરથી ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરી માતાજીને જુદા-જુદા નૈવેદ ધરાવે છે. શીતળા સાતમની દિવસે માતાજીને ખાસ બાજરાના લોટની કુલેર ધરાવવામાં આવે છે.

મંદિર નજીકનાં નદીના ભાગને માતરડીનો આરો કહેવામાં આવે છે. વર્ષો પહેલા ચોમાસા દરમિયાન શીંગવડા નદીમાં ભારે પુર આવતા મંદિરની જગ્યાએથી દુદાણા ગામમાં પુરનાં પાણી ઘુસવા લાગ્યા હતા. આ સમયે ગામની રક્ષા શીતળા માતાજીએ કરી તેવી માન્યતા ગામલોકોની છે અને ત્યારથી તેમની માતાજીમાં શ્રદ્ધા વધી હતી અને પૌરાણિક મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. શીતળા માતાજીના મંદિરે ભાવિકો સંતાન પ્રાપ્તિની મનોકામના સાથે પણ આવે છે અને બાળકોની રક્ષા કરતી મા શીતળાના આશીર્વાદથી નિસંતાન દંપતિના ઘરે પારણા પણ બંધાય છે.

શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમનું ખુબજ મહત્વ હોય છે તે દિવસે વહેલી સવારથી જ સૌભાગ્યવતી સ્ત્રીઓએ તેમના સંતાનો સાથે શીતળા માતાના દર્શન કરીને સમગ્ર પરિવારની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરે છે અને ગામની મહિલાઓ સાંજે માતાજીના ગરબા કરે છે. મંદિર શિંગવડા નદીના કાંઠે આવેલું હોવાથી અહીં પ્રકૃતિની ઠંડક સાથે શીતળા માતાજીનાં દર્શનથી લોકોને પણ શીતળતા પ્રાપ્ત થાય છે મંદિરે આવતી મહિલાઓ અને ભાવિકો શીતળા માતાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચોઃ એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું

હિન્દૂ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવાકે, ઓરી, અછબડા, શીળસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળા માતા. દુદાણાના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડનાં મિશ્રણનાં લાડવારૂપી પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં લોકો અનેક માનતાઓ લઈને દુર દુરથી આવે છે અને માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મંદિરે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાના જીવનમાં શીતળતા અને શાંતિનો અનુભવ કરે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnatha news Shitla Mataji Temple Gir Somnath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ