ભારતમાં ઘણાં એવા રહસ્યમયી મંદિરો છે, જેનું રહસ્ય આજ સુધી બહાર આવ્યું નથી. ભારતમાં આ એક એવુ મંદિર છે, જ્યાં કુલ 99 લાખ 99 હજાર 999 પત્થરની મૂર્તિઓ છે. આ મંદિરના રહસ્યને ઘણાં વિદ્વાનોએ ઉકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ સફળ ના થયા.
આ મંદિરમાં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય અકબંધ
મંદિરના રહસ્યને ઘણાં વિદ્ધાનોએ ઉકેલવાનો પ્રયાસ કર્યો
આ મંદિર અંગે અનેક માન્યતાઓ પ્રચલિત
મંદિરની 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય અકબંધ
આ મંદિરની 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય અકબંધ છે. આ પત્થરની મૂર્તિઓ કોણે બનાવી ક્યારે અને કેમ બનાવી. સૌથી મોટું રહસ્ય એ છે કે આખરે 1 કરોડમાં એક મૂર્તિ કેમ ઓછી બનાવવામાં આવી. આ મૂર્તિઓને લઇ ઘણી કહાનીઓ જણાવવામાં આવે છે. ભારતમાં ઘણાં મંદિરો અને મૂર્તિઓ છે, જે રહસ્યમય છે. આ મંદિર અને મૂર્તિઓમાં આ મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે.
જાણો શું છે કારણ
આ મંદિર અંગે માન્યતા છે કે એક વખત ભગવાન શિવ એક કરોડ દેવી-દેવતાઓની સાથે કોઈ જગ્યાએ જઇ રહ્યાં હતા. બધા દેવી-દેવતા ઉંઘી ગયા. સવારે જ્યારે ભગવાન શિવ ઉઠ્યા ત્યારે બધા દેવી-દેવતા ઉંઘી રહ્યાં હતા. શિવજીએ ક્રોધિત થઇ શ્રાપ આપી દીધો અને બધા દેવી-દેવતા પત્થરના બની ગયા. 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું આ એક કારણ છે.
મૂર્તિઓને લઈ વધુ એક કહાની પ્રચલિત
આ મૂર્તિઓને લઇ વધુ એક કહાની પ્રચલિત છે. જણાવવામાં આવે છે કે કાલૂ નામનો એક કારીગર હતો. આ શિલ્પકારની ઈચ્છા હતી કે ભગવાન શંકર અને માતા પાર્વતીની સાથે પોતે કૈલાશ પર્વત પર જાય. પરંતુ આ શક્ય ના હતુ. શિલ્પકારની જીદના કારણે ભગવાન શંકરે કહ્યું કે જો તમે એક રાતમાં એક કરોડ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી આપશો તો તમને સાથે લઇને જઇશું.
આ સ્થાનનું નામ ઉનાકોટી
ત્યારબાદ શિલ્પકારે આખી રાત લગનપૂર્વક મૂર્તિઓ બનાવી. પરંતુ એક કરોડમાં એક મૂર્તિ ઓછી રહી ગઇ. જેના કારણે ભગવાન શિલ્પકારને પોતાની સાથે લઇને ના ગયા. કહેવામાં આવે છે કે તેના કારણે આ સ્થાનનું નામ ઉનાકોટી છે. ત્રિપુરાની રાજધાની અગરતલાથી ઉનાકોટી મંદિર 145 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર ભારતના સૌથી મોટા રહસ્યમી મંદિરોમાં સામેલ છે.