આપણા દેશમાં મંદિરોની અછત નથી. કેટલાક મંદિરો તો એટલા જૂના છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. મંદિરો જેટલા ઐતિહાસિક હોય છે તેના ચમત્કારો પણ તેટલા જ ખાસ હોય છે. આ મંદિરોમાં થતાં ચમત્કારોના રહસ્યો ઉકેલવામાં મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ થાપ ખાય જતાં હોય છે. જો કે, સ્થાનિક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે ખૂબ જ નજીકથી જોડાયેલી હોય છે. ત્યારે અમે આપને આજે એક એવા મંદિર વિશે જણાવીશું જેમાં રહેલી મૂર્તિઓ એક-બીજા સાથે વાતચીત કરે છે.
ભારતનું ઐતિહાસિક ત્રિપુર સુંદરી મંદિર
મૂર્તિઓ એકબીજા સાથે કરે છે વાતચીત
વૈજ્ઞાનિકો પણ થયાં હેરાન
400 થી પણ વધુ જૂનું ઐતિહાસિક મંદિર
400 થી પણ વધુ વર્ષ જૂના આ મંદિરની સ્થાપના એક તાંત્રિકે કરી હતી. તાંત્રિકનું નામ હતું ભવાની મિશ્ર. ત્યારથી તેમનો જ વંશ આ મંદિરની જાળવણી કરતા આવે છે. કહેવાય છે કે આ મંદિર તંત્ર સાધના માટે પ્રસિદ્ધ છે.
મૂર્તિઓ એકબીજા સાથે કરે છે વાત
અહીં આવેલ શ્રદ્ધાળુઓની બધી ઈચ્છા પૂરી થઇ જાય છે. લોકો મુજબ અહીં એક એવી ચમત્કારી ઘટના ઘટે છે જેને જોઈને લોકો હેરાન થઇ જાય છે. આ મંદિરની મૂર્તિઓ કરે છે એક બીજી સાથે વાતોઃ આ મંદિરની મૂર્તિઓ એક બીજી સાથે વાતો કરે છે. મંદિરમાંથી લોકોને વાત કરવાના અવાજો આવે છે.
વૈજ્ઞાનિક પણ થયાં હેરાન
આ અવાજોને સાંભળીને લાગે છે જેમ કે મૂર્તિઓ વાતો કરી રહી હોય. જે પણ અહીંથી અડધી રાત્રે પસાર થાય છે, તેને આ અવાજો સંભળાય છે. પહેલા લોકો આને પોતાનો વ્હેમ માનતા હતા. શોધખોળ કાર્ય બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું કે અંદરથી આવતા અવાજો કોઈ વ્યક્તિના નથી. તેમનું માનવું છે કે અહીં કંઈક અજબ જરૂર છે.
લોક માન્યતા
વૈજ્ઞાનિકો મુજબ મંદિરની બનાવટ જ એવી છે જેનાથી નાના શબ્દો અહીં ફરે છે. તેથી દિવસમાં લોકો દ્વારા કરાયેલી વાતો, રાત્રે ગૂંજે છે. પરંતુ આ પણ તેમનો માત્ર અનુમાન છે. માન્યું કે આ વાતોનું સત્ય હોવાનું કોઈ પ્રમાણ નથી. લોકો કહે છે કે અહીંની દેવીઓ તાંત્રિક શક્તિઓને કારણે જાગૃત છે.
તાંત્રિકોને અતૂટ શ્રદ્ધા
દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ સિવાય તારા માતા, બગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, બટુક ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મૂર્તિઓનાં નામ - કાલી, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, છિન્નમસ્તા, તારા, માતંગી, કમલા, ષોડશી, ભુવનેશ્વરી, ઉગ્ર તારા વગેરે. મહાવિદ્યાઓની મૂર્તિ સ્થાપિત હોવાને કારણે તાંત્રિકોને આ મંદિર પર અતૂટ વિશ્વાસ છે.