ભગવાન ગણેશ, જેમને લોકોએ હંમેશા ગજ રૂપે જ જોયા છે. મોટાભાગના મંદિરમાં ગજ સ્વરૂપમાં જ ભગવાન ગણેશની પ્રતિમા આવેલી છે. પરંતુ ભારતમાં એક એવુ પણ મંદિર છે જ્યાં ગણેશની પ્રતિમા નર સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરની ખાસિયત છે કે જેના કારણે લોકો ભગવાન ગણપતિના દર્શન કરવા આવે છે.
ભગવાન ગણેશ, જેમને લોકોએ હંમેશા ગજ રૂપે જ જોયા છે. મોટાભાગના મંદિરમાં ગજ સ્વરૂપમાં જ ભગવાન ગણેશની પ્રતિમા આવેલી છે. પરંતુ ભારતમાં એક એવુ પણ મંદિર છે જ્યાં ગણેશની પ્રતિમા નર સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરની ખાસિયત છે કે જેના કારણે લોકો ભગવાન ગણપતિના દર્શન કરવા આવે છે.
તમિલનાડુ રાજ્યના કુટનૂરથી લગભગ બે કિલોમીટર દૂર તિલતપર્ણ પુરીમાં આદિ વિનાયકનું એક મંદિર આવેલું છે. જેમા ભગવાન ગણેશ નર સ્વરૂપે વિરાજમાન છે. આ અનોખી પ્રતિમાને જોવા માટે લોકો ભારે માત્રામાં દર્શને આવતા હોય છે. માનવામાં આવે છે કે આ ભારતનું પહેલું એવું મંદિર છે. હવે અહીં જાણીએ કે આ મંદિરની ખાસિયત અને તેની પાછળની કથા શું છે.
જ્યાં નર સ્વરૂપે વિરાજમાન છે શ્રીગણેશ
માનવામાં આવે છે કે એકવાર ભગવાન ભોલેશંકરે ક્રોધમાં આવીને શ્રીગણેશનું ગળુ ધડથી અલગ કરી દીધું હતું તે બાદથી તેમને ગજ મુખ આપવામાં આવ્યું. ત્યારથી તેમની પ્રતિમા આ રૂપે જ સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ આદિ વિનાયક મંદિરમાં નર રૂપે આ પ્રતિમા સ્થાપિત થવાની પાછળની કથા વૈવિધ્ય ધરાવે છે તેથી તે ભક્તોમાં આશ્ચર્યનો વિષય બની છે.
ભગવાન રામે કર્યું હતું પૂજન
આદિ વિનાયકના આ મંદિરમાં એકવાર ભગવાન રામે પોતાના પિતરોની આત્માની શાંતિ માટે પૂજન કર્યું હતું. ત્યારથી આ મંદિરમાં લોકો પોતાના પિતરોની શાંતિ માટે પ્રાર્થના કરતા આવ્યા છે. આ કારણે આ મંદિરને તિલતર્પણપુરીના નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે આ મંદિર સામાન્ય દેખાય છે પરંતુ લોકો વચ્ચે તેનું ઘણું મહત્વ છે. તિલતપર્ણપુરી શબ્દમાં તિલતપર્ણનો મતલબ પિતરોને સમર્પિત અને પુરીનો મતલબ શહેર છે. તેતી તેને સંયુક્ત રૂપે પિતરોને સમર્પિત શહેરના નામતી જાણવામાં આવે છે.