આપણી ધરતી અનેક અજૂબા અને રહસ્યમયી વસ્તુઓથી ભરેલી છે. આવી વસ્તુઓ જોઇને આપણે પણ અચંબિત થઇ જઇએ છીએ.
ભારતના રહસ્યમયી પથ્થરો
અલગ અલગ જગ્યાએ જુદી માન્યતા
વિશાળકાય પથ્થર કોઇ પણ સપોર્ટ વગર ટકી રહ્યો છે
ભગવાન કૃષ્ણનો બોલ
આ વિશાળકાય પથ્થર જે દક્ષિણી ભારતમાં ચેન્નઇના મહાબલીપુરમમાં છે. આ ગોળ પથ્થર ઢોળાવ પર છે અને 45 ડિગ્રીના કોણ પર કોઇ પણ જાતના સપોર્ટ વગર ટકી રહ્યો છે. કહેવામાં આવે છે કે આ કૃષ્ણના પ્રિય ભોજન માખણનું પ્રતિક છે જે સ્વયં સ્વર્ગથી નીચે આવ્યું છે. આનું વજન 250 ટન છે.
અજમેરનો જાદુઇ પથ્થર
હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી એટલે કે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર દેશ દુનિયાથી લોકો આવે છે. તારાગઢ પહાડીમાં રહેતા લોકો કહે છે કે આ પથ્થર એક વ્યક્તિ પર પડવાનો હતો અને તેણે ખ્વાજા સાહેબને યાદ કર્યા તો તેમણે પથ્થરને હવામાં જ રોકી લીધો હતો. ત્યારથી આ પથ્થર જમીનથી 2 ઇંચ ઉપર છે.
ઠિનઠિની પથ્થર
આ ચમત્કારી પથ્થર એટલા માટે ફેમસ છે કારણકે અહી કોઇ ચીજ પથ્થરથી ટકરાય છે તો મધુર અવાજ આવે છે. આ પથ્થર છત્તીસગઢના સરગુજા જિલ્લામાં છિંદકાલો ગામમાં આવેલા છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ અવાજ કેવી રીતે આવે છે તે શોધી શક્યા નથી.
બેલેંસિંગ રોક
ચેરાપૂંજીમાં પણ એક એવો પથ્થર છે જેના પર મોટો પથ્થર ટકેલો છે જેનું બેલેન્સ જોવા માટે વર્ષોથી લોકો આવે છે. કોઇ પણ ભૂકંપ કે તોફાન આ પથ્થરનું બેલેન્સ બગાડી શક્યુ નથી.