શું ગુજરાતમાં કોઈ રહસ્યમય વ્યક્તિ કે પ્રાણીનો છે વસવાટ, સુરેન્દ્રનગર પાટડીના ઓડુ ગામથી થોડા દૂર રણમાંથી રાક્ષણી પગલા મળ્યા, જેમાં બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર
પાટડીના રણમાંથી મળ્યા રાક્ષસી પગલા
શું આદિમાનવનું અસ્તિત્વ છે?
બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં આવેલું ઓડુ ગામ આજકાલ ભારે ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે કચ્છના નાના રણમાં મળેલા રાક્ષસી પગલા. ઓડુ ગામથી થોડા દૂર રણમાંથી રાક્ષણી પગલા મળી આવ્યા છે. જેમાં બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર છે. અને પગલાની સમાંતર બીજા પગલા પણ છે એટલે કે કોઈ બે વ્યક્તિ એક સાથે ચાલ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પગલા કોના છે અને ક્યાંથી આવ્યા જે જાણવા ભારે કુતૂહલ સર્જાયું છે.
સ્થાનિકોએ તંત્ર પાસે આ મામલે તપાસની માગણી કરી છે. થયું એમ કે, ઓડુ ગામના સ્થાનિક ભરતભાઈ પરમાર પોતાના દીકરાને લઈને રણમાં ગયા હતા. જ્યાં આ પગલા જોવા મળ્યા હતા. 300 પગલા જોતા કુતૂહલ સર્જાયું હતું. બન્ને પગલા વચ્ચે 6 ફૂટનું અંતર છે. તો બીજી તરફ સામાન્ય વ્યક્તિના પગલા વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર હોય છે. સ્થાનિકોના મતે જો કોઈ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ બન્ને પગલા વચ્ચે 6 ફૂટનું અંતર ન હોય.
દસાડા પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઓડુ અને મીઠાધોડા ગામ આજે ચર્ચામાં છે. આ ગામ વચ્ચે આવેલ સફેદ ક્ષારયુક્ત જમીનમાં જયારે સ્થાનિકોએ રાક્ષસી માનવ જેવા છ ફુટના અંતર જેવા અંદાજે 300 પગલા જોતા કુતુહલ પૈદા થયું છે. આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું જોવા મળ્યું હતું. આ પગલાની દિશા જોતા પૂર્વ દિશા તરફથી આવેલ રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોઇ તેવો અંદાજ છે. સ્થાનિકોનું માનવું છે કે, જો કોઇ વ્યક્તિ કુદકા મારીને જાય તો પણ ત્રણસો જેટલા પગલા ન હોઇ અને બન્ને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોઇ. હવે આ રાક્ષસી માણસ કોણ છે. અને કયા ગયો છે તે અંગે કોઈ માહિતી સ્થાનિકોને નથી.
આ રણમાં મળી આવેલા છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના ન હોઇ શકે. પરંતુ કોઇ આટલી મોટી ફલાગ કોઇ પર ગ્રહવાસી કે એરયનની કે દાનવની માયાજાળ હોઇ શકે છે. પરંતુ હાલ આ પગલાઓ સ્થાનિકોએ જોતા રણમાં મીઠાના ભાગમાં સફેદમાં ઊપસી આવેલ પગલાઓ સપ્સટ જોઈ શકાય છે. હાલ તો લોકોએ આ પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાઇ નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. પરંતુ હવે આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે, તંત્ર આ બાબતે તપાસ આરંભી લોકોની મીઠી માનવ પરથી પડદો પાડે કે, આ કોઇ બીજા ગ્રહના રાક્ષસી માનવ છે કે કોઇ બીજા ગ્રહના માનવી પરંતુ હવે તંત્ર ક્યારે તપાસ આરંભે છે તેની પર સ્થાનિકોની મીટ મડાયેલ છે.