કેનેડામાં જોવા મળી રહી છે એક રહસ્યમય બીમારી જેમાં વ્યક્તિ પોતાના હાથ-પગ પરથી ગુમાવી દે છે નિયંત્રણ
કોરોના બાદ હવે નવી રહસ્યમય બીમારી
કેનેડામાં જોવા મળી આ બીમારી
રહસ્યમય બીમારીના 48 દર્દીઓ
કોઈ પણ જીવતા માણસ માટે તેનુ એક્ટીવ હોવું અને ઘણી સારી વસ્તુઓની પ્લાનીંગ કરવું સૌથી મોટી ખુશી બની જાય છે. આવામાં જો અચાનક જ હાથ-પગ નિયંત્રણની બહાર જવા માંડે, તમને પોતાનાં જ ઘરની વસ્તુઓ અજાણી લાગવા માંડે તો તમે નિશ્ચિત રૂપથી ડરી જશો. કંઇક આવું જ બની રહ્યું છે કેનેડામાં અમુક લોકો સાથે, જેમને રહસ્યમયી માનસિક બીમારીએ ઘેરી લીધા છે.
સંભાળવામાં કોઈ સાઈન્સ ફિક્શનની વાર્તા લાગી રહી છે, પરંતુ કેનેડાના ન્યુ બ્રન્સવિકની રહેવાસી ટેરેલિન પોરેલે જેવા લગભગ 50 લોકો છે, જે આ બીમારીથી જજૂમી રહ્યાં છે. એમેને પોતે ખ્યાલ નથી આવી રહ્યો કે અંતે કેમ એમની સાથે આવું બન્યું. તેનાથી પણ ખરાબ વાત તો એ છે કે મેડીકલ સાઈન્સની પાસે પણ આ બીમારીનો અત્યાર સુધી કોઈ ઈલાજ કે નામ નથી. MIRRORની રીપોર્ટના મુજબ અચાનક જ શરુ થવા વાળી આ બીમારીએ પોતાનાં શિકાર બની રહેલાં લોકોને હેરાન કરી મુક્યા છે.
ચાલતા ચાલતા દીવાલ સાથે ભટકાઇ જાય છે દર્દીઓ
૩૩ વર્ષીય ટેરેલિન પોરેલેને દોઢ વર્ષ પહેલા પોતાના પગમાં અચાનક કંઇક ચૂભી રહ્યું હોય તેવું અને પીડા મહેસૂસ થઇ. ધીરે ધીરે આ પીડા તેમનાં હાથ-પગ સુધી પહોંચવા લાગી તથા ત્યાર પછી પુરા શરીરને પ્રભાવિત કરવા લાગી. એક સમયે હાઈકિંગની શોખીન રહી ચુકેલી ટેરેલિનને પોતાનાં રોજીંદા કામોમાં પણ થાક લાગવા માંડયો તથા આ પીડા તેમનાં જીવનનો એક હિસ્સો બની ગયી. મામલો આટલામાં જ સમાપ્ત ના થયો તેમને શરીર અને મગજના સમન્વયમાં પણ તકલીફ પાડવા લાગી અને તેઓ ઘણી વખત ચાલતા ચાલતા ક્યારેક દીવાલ સાથે તો ક્યારેક ફર્નીચર સાથે અથડાઈ જતા. એટલું જ નહી તેઓ પોતાનાં ઘરની સામાન્ય વસ્તુઓ પણ ભૂલી જતા હતા , મસલન કિચન, ગરમ પાણી કે પછી કોઈ બીજી વસ્તુ. તેમણે દાક્તરને બતાવીને ચેક અપ કરાવ્યાં, પરંતુ કઈ પણ સામે ના આવ્યું. તેમણે કોઈ તણાવ કે ડીપ્રેશન પણ ન હતું . તેઓ પોતાની રહસ્યમયી બીમારીથી ત્રાંસી ચુક્યા હતા.
મહિલાને મળ્યા પોતાનાં જેવાં જ દર્દીઓ
આખરે ટેરેલિને જયારે શોધ ખોળ કરી ત્યારે તેમને પોતાનાં જેવાં જ 48 દર્દીઓ મળ્યાં, જેઓ અચાનક જ આ બીમારીના શિકાર બન્યાં હતાં. 34 દર્દીઓનાં લક્ષણ તો ટેરેલિન જેવાં જ હતા. આમાંથી કોઈક તો ટેરેલિનની જેમ જ માનસિક ભ્રમ તથા નષ્ટ થઇ રહેલી યાદો થી જઝુમી રહ્યાં હતા. એક જ પ્રાંતમાં આ બીમારીના 48 દર્દીઓ મળ્યાં પછી તેઓ અંદરોઅંદર પોતાનાં લક્ષણો તપાસતાં રહે છે અને દાકતર મૈરેરીયોની દેખરેખમાં ખુદને આ બીમારીથી લડવાની હિંમત આપી રહ્યાં છે જોકે તેમને હજુ પોતાની બીમારીનું ના તો નામ ખબર છે કે ના આનાં ઈલાજની કોઈ દવા.