ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં 10 મહિનાની અંદર થયેલા 111 માસૂમોનાં મોતથી જિલ્લા પ્રશાસનને આશ્વર્યમાં મૂકી દીધા છે.
10 મહિનાની અંદર 111 નવજાત શિશુઓનાં મોત
આટલાં શિશુઓનું મૃત્યુ કેવી રીતે થયું?
શિશુઓનાં મૃત્યુનાં કારણોની તપાસ કરવાના આદેશ અપાયા
ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લામાં 10 મહિનાની અંદર રહસ્યમય કારણોથી 111 નવજાત શિશુઓનાં મોત થયા છે. એક રિપોર્ટમાં માતૃત્વ અને શિશુ મૃત્યુદરના આંકડા હેરાન કરનારા છે. બાળકોનાં મૃત્યુનાં રહસ્ય પરથી પરદો ઉઠાવવા માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે સીડીઓ, એસડીએમ અને સીએમએસના નેતૃત્વમાં 3 સદસ્યની કમિટી બનાવીને તપાસના આદેશ આપ્યા છે.
10 મહિનાની અંદર થયા 111 માસૂમોનાં મોત
જિલ્લામાં રહસ્યમય કારણોથી 10 મહિનાની અંદર થયેલા 111 માસૂમોનાં મોતથી જિલ્લા પ્રશાસનને આશ્વર્યમાં મૂકી દીધા છે. મામલાની ગંભીરતા જોતા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સત્યેન્દ્રકુમારે સીડીઓ ગૌરવસિંહ સોગરવાલની અધ્યક્ષતામાં 3 સભ્યની કમિટીની રચના કરતાં શિશુઓનાં મૃત્યુનાં કારણોની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
આટલાં શિશુઓનું મૃત્યુ કેવી રીતે થયું?
આ તપાસ ટીમમાં સીડીઓ ઉપરાંત જિલ્લા હોસ્પિટલના સીએમએસ અને ડેપ્યુટી એસડીએમ સત્યપ્રકાશ મિશ્રા પણ છે. આ ટીમ માતૃત્વ અને શિશુ મૃત્યુદર રિપોર્ટના આંકડામાં આવેલા વધારાની તપાસ કરશે. સાથે સાથે એ જાણવાની કોશિશ પણ કરશે કે આખરે આટલાં શિશુઓનું મૃત્યુ કેવી રીતે થયું?
એક રિસર્ચ પરથી થયો ખુલાસો
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સ્થિત ક્વીન મેરી હોસ્પિટલમાં થોડા દિવસોથી કરાયેલા એક રિસર્ચ પરથી જાણ થઇ છે કે ગર્ભવતી મહિલાઓના દૂધમાં કીટનાશકો મળી આવ્યાં. 130 શાકાહારી અને માંસાહારી ગર્ભવતી મહિલાઓ પર કેજીએમયુની ગાયનેક હોસ્પિટલે આવી પ્રેગ્નન્ટ મહિલાઓ પર અભ્યાસ કર્યો હતો.