આ ખુરશીને શાપિત ખુરશી તરીકે ગણવામાં આવે છે. ઇગ્લેન્ડનાં થર્કસ્ મ્યૂઝિયમમાં જમીનથી 6 ફૂટની ઉચાઇ પર એક ખુરશી લટકાવવામાં આવી છે. સામાન્ય દેખાતી આ ખુરશી વર્ષોથી આ દિવાલ સાથે જ ટીંગાયેલી છે. જે પણ આ ખુરશી પર બેસ્યું છે તે ક્યારે પણ ફરી ઉઠી શક્યું નથી. તે મોતને જ ભેટ્યું છે.
શું તમે ક્યારેય 'મોતની ખુરશી' જોઇ છે? એટલે કે એક ખુરશી કે જેના પર બેઠક કરનાર કોઇ પણ વ્યક્તિ મૃત્યુ જ પામે છે. અલબત્ત તમે ક્યારેય આવી ખુરશી વિશે સાંભળ્યું ન હોત, પરંતુ અમે તમને જણાવીએ છે કે આવી જ એક રહસ્યમય ખુરશી (Mysterious chair) ઇંગ્લેન્ડ (England) માં છે.
આ ખુરશીને શાપિત ખુરશી તરીકે ગણવામાં આવે છે. ઇગ્લેન્ડનાં થર્કસ્ મ્યૂઝિયમમાં જમીનથી 6 ફૂટની ઉચાઇ પર એક ખુરશી લટકાવવામાં આવી છે. સામાન્ય દેખાતી આ ખુરશી વર્ષોથી આ દિવાલ સાથે જ ટીંગાયેલી છે. જે પણ આ ખુરશી પર બેસ્યું છે તે ક્યારે પણ ફરી ઉઠી શક્યું નથી. તે મોત (death) ને જ ભેટ્યું છે.
એવું કહેવાય છે કે આ રહસ્યમય ખુરશીનું નામ 'થોમસ બસ્બી'એ રાખ્યું છે. થોમસને આ ખુરશી એટલી ગમી કે તે તેની પર બેઠેલા કોઈ પણને જોઈ શકતો ન હતો. તેમનાં કુટુંબીજનો પણ તે ખુરશી પર બેસતા ન હતા. એવું કહેવાય છે કે તેની સાસુ 1702માં થોમસની પ્રિય ખુરશી પર બેઠેલી હતી, જેથી નારાજ થઇને હોકર થોમસે તેમની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદથી જ આ ખુરશી પર બેસવાની હિંમત કોઇએ નથી કરી.
કહેવાય છે કે આ ખુરશી પર બેસ્યા પછી અત્યાર સુધી 63 લોકોના મોત થયા છે. એટલું જ નહીં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યા એક પબમાં આ ખુરશી રાખવામાં આવી હતી. જેને લોકો હોટ સીટ તરીકે ઓળખતા હતા. પરંતુ લોકોએ માર્ક કર્યુ કે જે પણ લોકો આ ખુરશીમાં બેસતા તે યુદ્ધમાંથી પરત આવી શકતા ન હતા.
ત્યારથી એવું માનવામાં આવ્યું છે કે થોમસે જ્યારે આ ખુરશી પર પોતાના અંતિમ શ્વાસ લીધા ત્યારે શ્રાપ આપ્યો હતો કે જેની પાસે પણ આ ખુરશી જશે તેનું મૃત્યુ થઇ જશે. આટલા લોકોના મોત પછી આ ખુરશીને શ્રાપિત ખુરશી જાહેર કરી દેવામાં આવી છે.