ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે, એકબાજુ જ્યાં સેના પોતાનું ધાક જમાવવા મક્કમ છે અને લોકો પર ગોળીબાર કરી રહી છે, ત્યાં લોકો પણ આ મામલે મચક આપવા તૈયાર નથી.
સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર કચેરીનો અહેવાલ
અત્યાર સુધીમાં 149 લોકોના મોતનો અહેવાલ
મંગળવારે પણ સૌથી મોટા શહેર યાંગોનમાં હિંસા થઈ
ગયા મહિને મ્યાનમારમાં લશ્કરી બળવો થતાં નાગરિક સરકારે સત્તા ગુમાવી દીધી હતી, જેના પછી મ્યાનમારના દરેક મોટા નેતાનીઓ ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે ત્યાં સેનાનું શાસન છે. જેની સામે લોકોએ મંગળવારે સવારે જુદા જુદા ભાગોમાં નાના જૂથોમાં શાંતિપૂર્ણ કૂચ કરી હતી. આ સમય દરમિયાન, સુરક્ષા દળોએ હિંસક કાર્યવાહી કરી હતી, જેમાં યંગોનમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત નીપજ્યાં.
મંગળવારે પણ હિંસા થઈ
મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનમાં મંગળવારે પણ હિંસાના સમાચાર સામે આવ્યા છે. યાંગોનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિરોધ કરનારાઓએ સુરક્ષા દળોની હિંસક કાર્યવાહીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. યંગોન નજીકમાં મંગળવારે પોલીસે ટોળા પર રબરના ગોળીઓ ચલાવી હતી, જ્યાં બે લોકોના મોત નિપજ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે કહ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ લશ્કરી બળવો થયા બાદ મ્યાનમારમાં ઓછામાં ઓછા 149 નાગરિકો મૃત્યુ પામ્યા છે. યુએન હ્યુમન રાઇટ્સ ઓફિસની પ્રવક્તા રવિના સમાદાસાનીએ જણાવ્યું હતું કે સોમવારે ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક અઠવાડિયામાં 57 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
યુએન સેક્રેટરી જનરલે દુ:ખ વ્યક્ત કર્યું હતું
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારસે મ્યાનમારમાં વધી રહેલી હિંસા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે ત્યાં લશ્કરી દમન સમાપ્ત કરવામાં મદદ માટે સામૂહિક અને દ્વિપક્ષીય રીતે કાર્ય કરે. ગુટારસે એક નિવેદનમાં જણાવ્યું છે કે મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવી રહેલા વિરોધીઓની હત્યા અને મનસ્વી ધરપકડ એ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની દેશને લોકશાહી માર્ગ પર રોકવા, વાટાઘાટો કરવા અને પરત ગોઠવવાની અપીલનું ઉલ્લંઘન છે.