મ્યાનમારમાં સત્તાપલટા બાદ દેશની હાલત સતત બગડી રહી છે.હવે અહીં લગભગ દરેક સાર્વજનિક બિલ્ડિંગોની બહાર સૈનિકો તૈનાત છે.
પ્રદર્શનકારીઓને નિયંત્રિણમાં લેવા સૈન્ય સરકારએ રવિવારે આ પગલું ભર્યુ
બૌદ્ધ મંદિરની બહાર સૈનિકો તૈનાત
યાંગૂન જનરલ હોસ્પિટલની બહાર સૈનિકો તૈનાત
પ્રદર્શનકારીઓને નિયંત્રિણમાં લેવા સૈન્ય સરકારએ રવિવારે આ પગલું ભર્યુ
મોટી સંખ્યામાં સત્તાપલટાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને નિયંત્રિણમાં લેવા માટે મિલેટ્રી જુંટા(સૈન્ય સરકાર)એ રવિવારે આ પગલું ભર્યુ છે. મોટા શહેરોમાં અને અન્ય સ્થાનો પર હોસ્પિટલો, વિશ્વવિદ્યાલયો, પરિસરો અને મંદિરોની બહાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. અનેક સ્થળો પર લોકો એકવાર ફરી પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા છે.
યાંગૂન જનરલ હોસ્પિટલની બહાર સૈનિકો તૈનાત
મ્યાનમારની સૈન્ય સરકાર લોકોન વિરોધને દબાવવા માટે તેમના પર ગોળીબાર કરી રહી છે. આંસૂ ગેસના ગોળા છોડી રહ્યા છે. તેમના પર પાણીનો મારો ચલાવી રહ્યા છે. જેના કારણે 50થી વધારે લોકોના મોત થયા છે. યાંગૂનમાં શહેરના સૌથી મોટી હોસ્પિટલ યાંગૂન જનરલ હોસ્પિટલની બહાર સૈનિકો તૈનાત છે. આ સાથે જ ગાંધી હોસ્પિટલ અને વાઈબારગી સ્પેશલિસ્ટ હોસ્પિટલની બહાર સૈનિકો તૈનાત છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે લોકોની માંગ છે કે સૈનિકોની તૈનાતી હટાવવામાં આવે. જે બાદ તે સૈન્ય અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે.
બૌદ્ધ મંદિરની બહાર સૈનિકો તૈનાત
જો કે અત્યાર સુધી એ ખબર ન પડી કે તેમની આ માંગ પર સૈના તરફથી શું કહેવામાં આવ્યું છે. એક અન્ય શહેર માંડલેના લોકોનું કહેવું છે કે રેલવે સ્ટેશનો, સરકારી ઓફિસો, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો સહિત અન્ય અનેક જગ્યાઓ પર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સૈનિક પ્રખ્યાત બૌદ્ધ મંદિરની બહાર પણ તૈનાત છે . જ્યારે સૈન્ય વાહનો માંડલે ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં પ્રવેશ કરી રહ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જવાબમાં સેનાએ આંસૂ ગેસના સેલ છોડ્યા હતા. અને રબરની ગોળીઓ છોડી હતી જેનાથી અનેક લોકો ઘાયલ થયા હતા.
શિક્ષકોને પણ મારવામાં આવ્યા
ઘાયલોમાં 35 વર્ષના એક સુરક્ષા ગાર્ડ પણ સામેલ છે. જેના ચહેરા પર ઘા છે અને અન્ય એક ગોળી સાથળ પર વાગી છે. તે કહે છે કે બે શિક્ષકોને માર માર્યો છે. હવે સૈનિક યુનિવર્સિટીની અંદર પણ આવી ગયા છે. હવે અમે આ જગ્યાએથી જઈ રહ્યા છીએ. હજું પણ તેઓ ગોળીઓ ચલાવી રહ્યા છે. હોસ્પિટલોમાં આવનારા સૈનિકોએ લોકોને કહ્યું કે તે બસ સૈન્ય સરકારના આદેશોનું પાલન કરી રહ્યા છે. જો તેમને કોઈએ પણ રોકવાનો પ્રયાસ કર્યો તો તે તેમને ગોળી મારી દેશે. જે લોકોએ તૈનાત કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગે વાયુ સેના, નૌસેના, મડિકલ અને એન્જિનિયરિંગ યુનિટથી છે.