કોરોના સંકટ વચ્ચે આતંકવાદ વિરૂદ્ધ ચાલી રહેલા જંગમાં ભારતને મોટી સફળતા મળી છે. મ્યાનમારે શુક્રવારે 22 આતંકવાદીઓને ભારતને સોંપ્યા છે. પૂર્વોત્તર ક્ષેત્રોમાં પણ ભારત આતંકવાદથી ઘણુ પ્રભાવિત રહ્યું છે.
મ્યાનમારે ભારતને સોંપ્યા 22 આતંકવાદી
NSA અજિત ડોભાલની આ અભિયાનમાં મહત્વની ભૂમિકા
આતંકવાદીઓને વિશેષ વિમાનથી પહેલા ઇમ્ફાલ લવાયા
કોરોનાને લઇને ચલાતા લોકડાઉન વચ્ચે ભારતને મોટી સફળતા મળી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સમગ્ર ઓપરેશનનું સમન્વય સંકલન બાહ્ય ગુપ્તચર એજન્સી અને મ્યાનમાર સરકાર દ્વાર કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓને એક વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા. આતંકવાદીઓના જૂથને પહેલા મણિપુરમાં રાજધાની ઇમ્ફાલમાં સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યા અને બાદમાં આસામમાં ગુવાહાટીમાં લઇ જવાયા.
એવું માનવામાં આવી રહ્યું છે કે મ્યાનમારમાં સક્રિય આ આતંકવાદીઓને ભારત સોંપવાથી પૂર્વોત્તર રાજ્યોમાં આતંકવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવામાં મદદ મળશે.
સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બાહ્ય ગુપ્તચર એજન્સી અને મ્યાનમારના અધિકારીઓ વચ્ચે સમન્વયમાં મહત્વની ભૂમિકા નિભાવી.