પ્રોડ્યૂસર બોની કપૂર હંમેશાથી પોતાના પરિવાર વિશે વાત કરતા જોવા મળે છે, પરંતુ હાલમાં જ તેમણે એક ઇન્ટરવ્યૂમાં પોતાના ચારેય બાળકો અર્જુન કપૂર, અંશુલા, જાહ્નવી અને ખુશી વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેમણે સલમાન ખાન સાથેના તેમના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી.
બોની કપૂરે જણાવી સલમાન સાથેના સંબંધોની હકીકત
ચારેય બાળકો વિશે ખુલીને કરી વાત
અર્જુન અને મલાઈકાને કારણે સંબંધોમાં આવી તિરાડ
સલમાન ખાન અને બોની કપૂર સારાં મિત્રો રહી ચૂક્યા છે. બંનએ સાથે વોન્ટેડ અને નો એન્ટ્રી જેવી હિટ ફિલ્મો કરી છે, પરંતુ 2009માં ફિલ્મ વોન્ટેડ પછી બંને ફરી ક્યારેય સાથે જોવા મળ્યા નથી. ત્યાબબાદથી એવા પણ સમાચાર આવ્યા કે બંનેના સંબંધોમાં હવે પહેલા જેવી વાત રહી નથી. બંનેના સંબંધોમાં ખટાશ આવવા પાછળ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની રિલેશનશિપ હોઈ શકે છે.
એક ઇન્ટરવ્યૂમાં બોની કપૂરે કહ્યું, અર્જુન ડિરેક્ટર બનવા માંગતો હતો પરંતુ સલમાનની સલાહથી તેણે એક્ટિંગમાં કરિયરની શરૂઆત કરી. સલમાન ખાને જ અર્જુન કપૂરને એક્ટિંગ માટે પ્રોત્સાહિત કર્યો હતો. બોની કપૂરે કહ્યું, મારી પર સલમાનનો આ ઉપકાર રહેશે, પરંતુ દુર્ભાગ્યથી સલમાનની સાથે મારા સંબંધો હવે પહેલાં જેવા રહ્યા નથી.
બોનીએ સ્પષ્ટપણે તો કંઈ કહ્યું નહીં પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્જુનના મલાઇકા સાથેના અફેરના કારણે જ સલમાને બોની કપૂર અને અર્જુન સાથેના સંબંધો બગડ્યા છે. આ સાથે તેમણે પોતાના બાળકો વિશે પણ વાત કહી. ચારેય બાળકોમાં સૌથી નજીક બાળક વિશે પૂછવા પર બોનીએ દીકરી સૌથી નાની દીકરી ખુશીનું નામ લીધું.
તેમણે વધુમાં કહ્યું, ખુશી કપૂર તેમના દિલની ખૂબ જ નજીક છે. હાલ તે મારી પાસે નથી કેમ કે હાયર સ્ટડીઝ માટે તે વિદેશ ગઈ છે. જ્યારે અર્જુન મારા દિલમાં છે. તેમણે કહ્યું, હું મારા બાળકોને કેટલો પ્રેમ કરું છું એ વિશે વધુ કહેતો નથી, કારણ કે તેમના માટે મારો પ્રેમ સ્વાભાવિક છે. હું એમનો માતા-પિતા બંને છું.