કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓ માટે વેરિએબલ ડીએમાં વધારો કર્યો છે.
વીડીએમાં ફેરફાર 1 એપ્રિલ 2020માં લાગૂ થશે
દેશમાં લગભગ 1.50 કરોડ શ્રમિકોને લાભ મળે
ન્યૂનતમ મજૂરીમાં સંશોધન થઈ ગયું છે
કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓ માટે વેરિએબલ ડીએમાં વધારો કર્યો છે. આ નિર્ણયનો ફાયદો 1.5 કરોડ ક્મચારીઓને મળવાનું અનુમાન છે. વીડીએમાં ફેરફાર 1 એપ્રિલ 2020માં લાગૂ થશે.
દેશમાં લગભગ 1.50 કરોડ શ્રમિકોને લાભ મળે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી સંતોષ ગંગવારે કહ્યુ આ પગલાથી દેશમાં તે લગભગ 1.50 કરોડ શ્રમિકોને લાભ મળે જે કેન્દ્ર સરકારના વિભિન્ન અનુસુચિત રોજગારો સાથે જોડાયેલા છે. વીડીએમાં વધારાથી તેમને આ મહામારીના સમયેમાં સહારો મળશે. તેમના જણાવ્યાનું,સાર આ અંગે આદેશ જારી થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ક્ષેત્રમાં અનુસૂચિત રોજગાર માટે નિર્ધારિત દરથી કેન્દ્ર સરકાર, રેલવે પ્રશાસન, ખાણો, તેલ ક્ષેત્રો, પ્રમુખ બંદરગાહો અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કોઈ પણ નિગમના પ્રાધિકરણ અંતર્ગત પ્રતિષ્ઠાનો પર લાગૂ થાય છે. આ દર કોન્ટ્રેક્ટ અને કૈજ્યુઅલ બન્ને રીતે કર્મચારીઓ માટે સમારુપથી લાગૂ થશે.
જાણો કોને કેટલુ વેતન મળશે
વીડીએમાં સંશોધન શ્રમ બ્યૂરો દ્વારા ઔદ્યોગિક શ્રમિકોના ઔસત ગ્રાહક મૂલ્ય સૂચકાંકના આધાર પર કરવામાં આવે છે. નવા વીડીએ સંશોધન માટે જૂલાઈથી ડિસેમ્બર 2020ના મહિના માટે ઔસત સીપીઆઈ આઈડબ્લ્યૂનો આધાર માનવામાં આવ્યુ છે. આ સાથે ન્યૂનતમ મજૂરીમાં સંશોધન થઈ ગયું છે. જ્યારે રસ્તા- ઈમારત નિર્માણ અને સમારકામ કાર્ય વગેરે અકુશલની ન્યૂનતમ મજૂરી 431 અને કુશલતમ માટે મહત્તમ મજૂરી 853 રુપિયા હશે. સફાઈ કર્મચારીઓ માટે મર્યાદા 431થી 645 રુપિયા હશે. સામાન લાદવા અને ઉતારનારા માટે મર્યાદા 431થી 645 રુપિયા હશે. વગર હથિયાર સુરક્ષા કર્મીઓ માટે 609થી 784 રુપિયા. હથિયાર સાથે 714 રુપિયાથૂ 853 રુપિયા હશે. ખેતીમાં મજૂરીની મર્યાદા 372રુથી 540 રુપિયા કરી દેવામાં આવી છે.