હર્ષ સંઘવીએ ગુજરાતના દરેક લોકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ આપતાની સાથે જ સંદેશ આપતા કહ્યું કે 'ચાઇનીઝ દોરી વાપરીને આ દોસ્તીની રમતમાં કોઈકના જીવનનો પેચ કાપવાનું કામ ન કરતાં'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મકરસંક્રાંતિની ઉજવણી કરી
આ દોસ્તીની રમતમાં લોકો કોઈકના જીવનનો પેચ કાપવાનું કામ કરે છે
ચાઈનીઝ દોરો નહિ વાપરવા લોકોને અપીલ કરી
હર્ષ સંઘવીનો પતંગ સુરતમાં રહેશે કે દિલ્હી જશે?
સુરતમાં આજે મકરસંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. એવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ પૂજન કરીને મનાવી ઉતરાયણ મનાવી હતી. એ પછી હર્ષ સંઘવીએ પરિવાર સાથે રીવ્યુલેટ બિલ્ડીંગમાં પતંગ ચગાવીને કરી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.
આ દોસ્તીની રમતમાં લોકો કોઈકના જીવનનો પેચ કાપવાનું કામ કરે છે
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં હર્ષ સંઘવીએ ગુજરાતના દરેક લોકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ આપતાની સાથે જ સંદેશ પણ આપ્યો હતો. એમને કહ્યું હતું કે 'ઉતરાયણના દિવસની શરૂઆત લોકો દાનથી કરે છે અને એ પછી આખો દિવસ ધાબા પર ચઢીને પતંગ ચગાવવાની પરંપરા વર્ષો જૂની છે. આખા દિવસ દરમિયાન પવન ના સાથ અને સંગમ જોડે લોકો પતંગ ચગાવે છે. આપણે બધા જાણીએ છીએ કે સુરત ની ધરતી સુરતી માંજા માટે ઘણી પ્રખ્યાત છે. ઉતરાયણ દરમિયાન એક બીજા જોડે પતંગ ચગવવા કોઈ ના પતંગ કાપવો એ એ એક બીજા જોડે પતંગ ચગવવા કોઈ ના પતંગ કાપવો એ એક રમત ચાલે છે જે ઘણું સામાન્ય પણ છે. પણ આ દોસ્તીની રમતમાં કેટલાક લોકો કોઈક ના જીવનનો પેચ પણ કાપવાનું કામ કરે છે.
ચાઈનીઝ દોરો નહિ વાપરવા લોકોને અપીલ કરી
આગળ એમને કહ્યું હતું કે 'ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરાનો ઉપયોગને કારણે લોકો ના જીવ જોખમ માં મુકાઈ છે અને કેટલાક લોકો તો એવા હોય છે જે દોરીમાં કાચના ટુકડા નખાવે છેઅને એ કારણે પણ લોકો જીવ ગુમાવે છે. તો મારી ગુજરતના લોકોને વિનંતી છે કે આવા ચાઈનીઝ દોરોનો ઉપયોગ કરીને લોકોના જીવ ના પેચ ન કાપો. આ ખુશીના તહેવારમાં એકબીજા સાથે પેચ લડાવવાણઆ ચક્કરમાં બીજા કોઈના વ્યક્તિના જીવનનો પેચ ન લડાવતા. આ સિવાય ઉતરાયણ માં રોડ રસ્તામાં વચ્ચે પડેલો દોરો જોવા મળે તો માણસાઈ બતાવીને તેને ઉંચકી સાઈડમાં મૂકી દેવો જોઈએ. આમ કરવાથી ઘણા લોકોનો જીવ બચી શકે છે.'
હર્ષ સંઘવીનો પતંગ સુરતમાં રહેશે કે દિલ્હી જશે?
આડકતરી રીતે ગૃહ રાજ્ય મંત્રી એ મારો પતંગ સુરત માં જ રહેશે જેવો ઈશારો આપતા કહ્યું હતું કે, ' હું અંહિયાની જ ગલીઓમાં મોટો થયો છું અને અંહિયા જ રહ્યો છું અને એ જ લોકો વચ્ચે ઉતરાયણ મનાવું છું. મારો પતંગ અંહિયા જ રહેશે. પતંગ જ્યારે ચગાવીએ છીએ ત્યારે બીજાનો એ પતંગ કપાઈ છે અને ક્યારેક આપણો પણ પતંગ કપાઈ શકે છે. રાજનૈતિક પેચ સો કોઈ કાપે છે પરંતુ પતંગ ની મજા લેવી એ અલગ વાત છે
સફેદ ટીશર્ટ પહેરવા પર હર્ષ સંઘવીનું નિવેદન
મકરસંક્રાંતિ પર સફેદ રંગનું ટીશર્ટ પહેરીને આવેલ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ' આ વિસ્તારમાં રહ્યો છું એનએ અંહિયા જ મોટો થયો છું, ટી-શર્ટ પહેરવાની મારી તો ઉંમર છે હજુ એટલે મેં ટીશર્ટ પહેરી છે.