પ્રધાનમંત્રી મોદી અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ રાજકીય અટકળબાજીનો દોર શરુ થયો છે.
મોદી-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ રાજકીય અટકળબાજી
હવે આવ્યું એનસીપી સુપ્રીમો શરદ પવારનું નિવેદન
શરદ પવારે શિવસેનાના વખાણ કર્યાં
એનસીપી અધ્યક્ષ શરદ પવારે શિવસેનાના વખાણ કરતા જણાવ્યું કે તેની પર વિશ્વાસ થઈ શકે તેમ છે. પવાર ગુરુવારે એનસીપીના 22 મા સ્થાપના દિવસે બોલી રહ્યાં હતા. પરંતુ રાજકીય પંડિતોના પવારના સામાન્ય લાગતા આ નિવેદનનો રાજકીય અર્થ કાઢવા લાગ્યાં છે.
પવારે જણાવ્યું કે ગઠબંધનના ત્રણ પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ 2024 ની ચૂંટણી સાથે મળીને લડી શકે છે. તેમણે કહ્યું કે એવો સંશય પેદા કરાઈ રહ્યો છે કે રાજ્ય સરકાર કેટલા સમય સુધી ચાલશે. પવારે આગળ કહ્યું કે શિવસેના પર ભરોસો કરી શકાય છે. બાળાસાહેબ ઠાકરે ઈન્દીરા ગાંધી પરત્વેના પોતાના વચનનું સન્માન કર્યું હતું. સરકાર તેનો કાર્યકાળ પૂરો કરશે તથા આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરશે.
પ્રધાનંત્રી મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા- શિવસેના સાંસદ સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કરતા જણાવ્યું કે પ્રધાનંત્રી મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા છે.