CBIએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સનસનીખેજ ખુલાસો કરતા કહ્યું કે મુઝફ્ફરપુર આશ્રય ગૃહ યૌન શોષણ મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેમના સહયોગીઓને 11 છોકરીઓની કથિત રૂપે હત્યા કરી હતી. તથા એક શ્મશાન ઘાટથી 'હાડકાની પોટલી' મળી આવી છે. મુઝફ્ફરપુર બાલિકા ગૃહ કાંડમાં લગભગ 34 છોકરીઓ સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ પણ બિહાર સરકારને ફટકાર લગાવી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટેમાં દાખલ કરવામાં આવેલ પોતાની એફિડેવિટમાં સીબીઆઇએ કહ્યું કે તપાસ દરમિયાન નોંધવામાં આવેલ પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યા છે. જેમની ઠાકુર અને તેમના સહયોગીઓએ કથિત રૂપે હત્યા કરી દીધી હતી. એજન્સીએ કહ્યું કે એક આરોપીના મુજબ શ્મશાન ઘાટના એક ખાસ સ્થાનની ખોદાઇ કરવામાં આવી. જ્યાંથી હાડકાઓનું એક પોટલું મળી આવ્યું છે. નોંધનીય છે કે બિહારના મુઝફ્ફરપૂરમાં એક એનજીઓ દ્વારા સંચાલિત આશ્રય ગૃહમાં કેટલીક છોકરીઓને કથિત રૂપે બળાત્કાર અને યૌન શોષણ કરવામાં આવ્યું હતું તથા ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાનની રિપોર્ટ આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ મામલાની તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને એજન્સીએ ઠાકુર સહિત 21 લોકો વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું હતું. સીબીઆઇએ કહ્યું કે ''ઇન્વેસ્ટિગેશન દરમિયાન તપાસ અધિકારીઓ અને રાષ્ટ્રિય માનસિક સ્વાસ્થ્ય અને ન્યૂરો વિજ્ઞાન સંસ્થાન દ્વારા નોંધવામાં આવેલ પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યા છે જેમની આરોપી બ્રજેશ ઠાકુર અને તેમના સહયોગીઓએ કથિત રૂપે હત્યા કરી હતી''. સીબીઆઇએ એક આવેદન પર એફિડેવિટ નોંધાવતા કહ્યું કે, ગુડ્ડુ પટેલ નામના એક આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસાવાળા તથ્યોના આધારે, આરોપીના નિર્દેશ પર શ્મશાન ઘાટમાં એક ખાસ સ્થાન પર ખોદકામ કરવામાં આવ્યું. તથા સ્થળ પરથી એક હાડકાનું પોટલું મેળવવામાં આવ્યું છે.
આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પીઠે શુક્રવારે સુનાવણી કરી હતી. પીઠનું કહેવું છે કે તે આવેદન પર સીબીઆઇને ઓપચારિક નોટિસ જાહેર કરશે અને એજન્સી ચાર સપ્તાહની અંદર તેનો જવાબ આપશે. પીઠે સંક્ષિપ્ત દલીલો બાદ આ મામલે 6 મે સુનાવણી કરશે.