બિહારના મુઝફ્ફરપુરમાં 'મગજના તાવ'નો કહેર ઓછો થવાનું નામ નથી લેતો. ઇન્સેફ્લાઇટિસને કારણે મુઝફ્ફરપુરમાં અત્યાર સુધીમાં 127 બાળકોના મોત થઇ ચૂક્યા છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, JNU વિદ્યાર્થી સંગના પૂર્વ અધ્યક્ષ અને બેગૂસરાયથી લોકસભા ચૂંટણી લડનાર કન્હૈયા કુમાર (Kanhaiya Kumar)ને મુઝફ્ફરપુરના શ્રી કૃષ્ણ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH) માં જવાની મંજૂરી આપવામાં ન આવી.
કન્હૈયા કુમારે અહીં હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ટની મુલાકાત લીધી અને વોર્ડમાં જઇને દર્દીઓને મળ્યા. કન્હૈયા કુમારે કહ્યું કે, તમામ લોકો પ્રાર્થના કરે, આ દુખદ પરિસ્થિતિ છે. બાળકોના મોત થઇ રહ્યા છે. આપણે સૌ કોઇએ પ્રાર્થના કરવી જોઇએ. જોકે કન્હૈયા કુમારને બાળકોના વોર્ડમાં જવાની મંજૂરી મળી નહોતી.
આ અંગે બતાવાઇ રહ્યું છે કે કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) SKMCH જવા માટે મુઝફ્ફરપુર આવ્યા, પરંતુ હોસ્પિટલના અધિકારીઓના એક આદેશને કારણે એમને બાળકોના આઇસીયૂ અને સામાન્ય વોર્ડમાં ઘુસવાની મંજૂરી ન મળી. ખરેખર તો એસકેએમસીએચ સુપ્રિટેન્ટેન્ટે ગુરુવારે આદેશ આપ્યો હતો કે મીડિયા કર્મીઓ સહિત કોઇપણ બહારની વ્યક્તિને હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ઘુસવા દેવામાં નહીં આવે.
Bihar: Communist Party of India's Kanhaiya Kumar visits SKMCH Hospital in Muzaffarpur where 108 people have died due to Acute Encephalitis Syndrome (AES). pic.twitter.com/9NIRf0Gwzb
હાલમાં જ પૂર્ણ થયેલા લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાય બેઠકથી ભાકપાના ઉમેદવાર રહેલા કન્હૈયા કુમારે 'મગજના તાવ'થી બાળકોના મોત પર દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે આ મુદ્દે કોઇએ પણ રાજનીતિ કરવી જોઇએ નહીં. આપને જણાવી કે મુઝફ્ફરપુર ના એસકેએમસીએચમાં માનવ હાડપિંજરના અવશેષ મળ્યા છે.
જે બાદ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ટેન્ટ એસ કે શાહીએ કહ્યું કે, 'પોસ્ટમોર્ટમ વિભાગ પ્રાચાર્ચના આધીન આવે છે. પંરતુ તેમા માનવીય સંવેદનાઓનું ધ્યાન રાખવું જોઇએ. હું આ મામલે પ્રિન્સિપાલને વાત કરીશ. અને આ મામલે તપાસ માટે એક તપાસ કમિટી બનાવવા માટે વાત કરીશ.