મુઝફ્ફરપુરથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. બિહારના એક ઉભરતા કલાકારનું મુંબઈમાં શંકાસ્પદ રીતે મોત થઈ ગયું છે. મૃતક કલાકારનું નામ અક્ષત ઉત્કર્ષ છે જે મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત હતો. મળતી માહિતી પ્રમાણે અક્ષત બોલિવૂડમાં ન્યૂ કમર હતો. તે મૂળ મુઝફ્ફરપુરના સિકંદરપુરનો રહેવાસી હતો. અક્ષત ઉત્કર્ષની શંકાસ્પદ મોત બાદ તેના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.
બોલિવૂડમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા
એક એક્ટરનું મુંબઈમાં શંકાસ્પદ રીતે મોત
પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો
અક્ષતના મામા રંજીત સિંહે નિવેદન આપતા કહ્યું- રવિવારે રાતે 9 વાગ્યે અક્ષતની તેના પિતા સાથે વાતચીત થઈ હતી અને પછી મોડી રાતે તેની મોતના સમાચાર મળ્યા. આ સિવાય અક્ષતના મામાએ મુંબઈ પોલીસ દ્વારા સહયોગ ન મળવાનો પણ આરોપ લગાવ્યો છે. અક્ષત વિજયંત ચૌધરી ઉર્ફે રાજુ ચૌધરીનો પુત્ર હતો. તેનો મૃતદેહ મુંબઈથી પટના એરપોર્ટ પહોંચ્યો છે.
અક્ષતના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસે આ મામલે કોઈપણ પ્રકારની મદદ કરી નહીં. ઉપરાંત કોઈ એફઆઈઆર પણ નોંધી નથી. હાલ આ ઘટના અંગે વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ બિહારના બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનું પણ મુંબઇમાં અવસાન થઈ ચૂક્યું છે અને હજી સુધી તેની મોત પાછળનું કારણ સામે આવી શક્યું નથી.