લોકડાઉનને કારણે મજુરોના સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ છે. કેટલાક મજુરો એક્સપ્રેસ વે થઈને તેમના ઘરે પરત ફરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા ઘરે પરત ફરતા મજુરોને રોડવેઝ બસએ કચડી નાખ્યાં છે. ગુરુવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં 6 મજુરોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.
સહારનપુર રોડ પર રોડવેઝ બસે કચડ્યા
6 મજુરની ઘટના સ્થળે મોત , 2 ઘાયલ
આ પહેલા એક મજુરનું ડમ્પરની અડફેટે મોત થયુ હતુ
એવુ મનાઈ રહ્યું છે કે તમામ મજૂરો પંજાબમાં કામ કરતા હતા અને બિહાર જઈ રહ્યા હતાં. મજુરો ગુરુવારે પગપાળા મુઝફ્ફરનગર કોટવાલીના સહારનપુર રોડ પર પહોંચ્યા ત્યારે એક રોડવેઝ બસએ તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 6 મજુરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે ઘાયલ થયા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવની માહિતી મળતાં પોલીસ તંત્રમાં હરકતમાં આવ્યું હતુ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહન મેળવ્યા હતા. આ ઉપરાંત ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મજૂર બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસી છે. જે પંજાબથી પગપાળા પરત ફરી રહ્યા હતા.
આ અગાઉ યુપીની જલાઉન પોલીસનો અમાનવીય ચહેરો બહાર આવ્યો હતો. પરપ્રાંતિય મજૂરની ડેડબોડી કલાકો સુધી રસ્તા પર પડી રહી હતી. પરંતુ માહિતી બાદ પણ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી. આ કેસ જલાઉન એટ પોલીસ સ્ટેશન વિસ્તારના એનએચ -27 પર સ્થિત એનટીપીસી પ્લાન્ટ પાસેની હતી. અહીં એક ડમ્પરે એક મજુરને ઝડપી ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું.
તેના પરિવારજનોએ પોલીસ મથકે મોતની માહિતી આપી હતી, પરંતુ લગભગ 5 કલાક પછી પણ પોલીસ મથકે સ્થળ પર જવાનું યોગ્ય માન્યું ન હતું અને પાંચ કલાક સુધી મજૂરની લાશ રસ્તા પર પડી હતી. જ્યારે તેની માહિતી મીડિયા અધિકારીઓએ પોલીસ અધિકારીઓને આપી હતી. અમુક તબક્કે પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી.