યુપીના મુઝફ્ફરનગરમાં સોમવારે ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં બન્ને પક્ષના ઘણા લોકો ઘાયલ થયા હતા.
યુપીના મુઝફ્ફરનગરના સોરમ ગામની ઘટના
ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો છેક મારઝૂડ સુધી પહોંચ્યો
પોલીસે બન્ને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.
ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો છેક મારઝૂડ સુધી પહોંચ્યો હતો.
सोरम गाँव में बीजेपी नेताओं और किसानों के बीच संघर्ष, कई लोग घायल! किसान के पक्ष में बात नहीं होती तो कम से कम, व्यवहार तो अच्छा रखो। किसान की इज़्ज़त तो करो! इब कानूनों के फायदे बताने जा रहे सरकार के नुमाइंदों की गुंडागर्दी बर्दाश्त करेंगे गाँववाले?#मुजफ्फरनगरpic.twitter.com/X21oP7iTgP
આરએલડી નેતા જયંત ચોધરીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે સોરમ ગામમાં ભાજપ નેતાઓ અને ખેડૂતો વચ્ચેના ઝગડામા ઘણા ઘાયલ. ખેડૂતના પક્ષમાં ન બોલો તો કંઈ નહીં પણ તેમની સાથે સારો વ્યવહાર તો કરો. ખેડૂતોનું સન્માન તો જાળવો. આ કાયદાઓના ફાયદા બતાવવા જઈ રહેલા સરકારના પક્ષકારોની ગુંડાગીરી ચલાવી લેશે ગામલોકો ?
જયંત ચોધરીએ ઘાયલ ખેડૂતોના ફોટા પણ શેર કર્યાં હતા. આ ઘટનામાં ઘણા ખેડૂતો ઘાયલ થયા હોવાનું જણાવાય છે. જાણ થતા પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને બન્ને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.