muzaffarnagar after salt and bread and water mixed milk now dead rat found in mid day meal served at muzaffaranagar mid day meal nine students fall ill
ચોંકાવનારો કિસ્સો /
મધ્યાહન ભોજન ખાતા બાળકો માટે મુઝફ્ફરનગરનો આ કિસ્સો આંખ ઉઘાડનારો, વાલીઓ ચેંતી જજો
Team VTV06:46 PM, 03 Dec 19
| Updated: 07:32 PM, 03 Dec 19
મિર્ઝાપુરમાં મીઠુ અને રોટલી અને સોનભદ્રમાં 1 લીટર દૂધમાં ડોલ ભરીને પાણી ભેળવીને બાળકોને પીરસવાનો કિસ્સો હજુ શાંત નથી પડ્યો ત્યાં, મુઝફ્ફરનગરમાં મધ્યાહન ભોજન યોજના ( Mid Day Meal ) માં મરેલો ઉંદર મળી આવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આટલુ જ નહીં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન ખાવાથી 9 બાળકોના બીમાર થવાની સૂચના મળી છે. આ ઘટના મુસ્તફાબાદના પંચેડા સ્થિત જનતા ઇન્ટર કોલેજની છે.
મધ્યાહન ભોજન યોજના હેઠળ બનાવાયેલા દાળ અને ભાત ખાતા 9 બાળકો બીમાર પડ્યા
આખા કિસ્સામાં બેદરકારી રાખનાર કર્મચારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી
આ ઘટના મુઝફ્ફરનગરના પંચેડા સ્થિત જનતા ઇન્ટર કોલેજનો છે
ભોજન ખાધા બાદ બાળકોની તબીયત બગડી
નોંધનીય છે કે, આ કિસ્સો મુઝફ્ફરનગરની નવી મંડી કોતવાલી વિસ્તારના ગામ મુસ્તફાબાદ પંચેડા સ્થિત જનતા ઇન્ટર કોલેજનો છે. મંગળવારે મધ્યાહન ભોજન યોજના હેઠળ દાળ અને ભાત બનાવ્યા હતા. બપોરે બાળકોને ખાવાનું પીરસવામાં આવ્યું. જેને ખાધા બાદ 9 બાળકોની તબીયત બગડી હતી. બીમાર બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે પીરસાયેલા ભોજનની તપાસ કરતા દાળમાં મરેલો ઉંદર મળી આવ્યો હતો. નોંધનીય છે કે આ મધ્યાહન ભોજન યોજનાનું ભોજન હાપુડની સંસ્થા જન કલ્યાણ સેવા સમિતિ દ્વારા સ્કૂલમાં લાવવામાં આવે છે.
અધિકારીઓએ હાથ ઉંચા કર્યા
જિલ્લા અધિકારી સેલ્વા કુમારી જે.ના આદેશ બાદ બીએસએ અને એસડીએમ ઘટના સ્થળે પહોંચ્યા. તેઓેએ કિસ્સાની તપાસ કરી. આ મધ્યાહન ભોજન યોજના હાપુડની સંસ્થા જન કલ્યાણ સેવા સમિતિ દ્વારા સ્કૂલમાં લાવવામાં આવે છે. જોકે, હાલ આખા કિસ્સામાં બેદરકારી રાખનાર કર્મચારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.