બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Mutual funds are a very good option for investment

તમારા કામનું / Mutual Fundમાં રોકાણ કરતાં પહેલા જાણે-અજાણે લોકો કરે છે આ ભૂલ, રહેજો સાવધાન નહીંતર પસ્તાશો

Dinesh

Last Updated: 11:07 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકાણકારોની સૌથી મોટી ભૂલ એ છે કે, તેઓ કોઈપણ બાબતમાં સંશોધન કર્યા વિના રોકાણ કરે છે, રોકાણકારે ફંડની વર્તમાન સ્થિતિ ટ્રેક રેકોર્ડ, વ્યૂહરચના જોયા પછી જ રોકાણ કરવું જોઈએ.

  • મ્યુચ્યુઅલ ફંડએ રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ 
  • રોકાણ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ
  • દસ્તાવેજો, હકીકત પત્રકો અને તમામ વિગતો વાંચવી જોઈએ

આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડએ રોકાણ માટે ખૂબ જ સારો અને લોકપ્રિય વિકલ્પ છે. આ ફંડ રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવાની તક પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે, આ રોકાણમાં કેટલાક જોખમો અને પડકારો પણ છે. આ જોખમો ઘટાડવા અને લાભો મેળવવા માટે રોકાણકારે રોકાણ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. રોકાણકારો ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો કરે છે.

10% TDS only on dividend payment by mutual funds clarifies CBDT | મ્યુચ્યુઅલ  ફંડની કમાણી પર ટેક્સ લાગશે કે નહીં? સરકારે કરી સ્પષ્ટતા

સંશોધન કર્યા વિના રોકાણ ન કરવું
રોકાણકારોની સૌથી મોટી ભૂલ એ છે કે, તેઓ કોઈપણ આ બાબતમાં સંશોધન કર્યા વિના રોકાણ કરે છે. જો તમે પણ કોઈપણ બાબતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે પહેલા તેના વિશે સંશોધન કરવું જોઈએ. તમારે તે સંબંધિત સ્કીમ વિશે તમામ માહિતી જેમ કે દસ્તાવેજો, હકીકત પત્રકો અને તમામ વિગતો વાંચવી જોઈએ. કેટલાક રોકાણકારો કોઈપણ એક ફંડની કામગીરીને સાચી માને છે. ઘણા રોકાણકારો આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને ઘણા ફંડ્સનું પાછલું પ્રદર્શન ખૂબ સારું હોઈ શકે છે તેનો અર્થ એ નથી કે તેનું ભવિષ્યનું પ્રદર્શન પણ સારું રહેશે. રોકાણકારે તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. રોકાણકારે ફંડની વર્તમાન સ્થિતિ ટ્રેક રેકોર્ડ, વ્યૂહરચના જોયા પછી જ રોકાણ કરવું જોઈએ.

દર મહિને રૂપિયા 9 લાખનું મળશે રિટર્ન, જાણો કેટલું કરવું પડશે માસિક રોકાણ |  mutual fund calculator rs 10000 sip can help you get rs 9 lakh monthly  pension know details

અન્ય શેરો સાથે સરખામણી ન કરવી
કેટલીકવાર રોકાણકારો ફંડની અન્ય શેરો સાથે સરખામણી કરવાની ઉતાવળમાં હોય છે પરંતુ રોકાણકારે ક્યારેય પણ ફંડની તુલના કોઈપણ શેર સાથે કરવી જોઈએ નહીં. મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના લાભ મેળવવાનો છે. રોકાણકારે ક્યારેય ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. જો ક્યારેય રોકાણકારને ફંડમાં કોઈ જોખમ લાગે તો ગભરાવાની જરૂર નથી તેણે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ.

એસેટ ફાળવણી
મ્યુચ્યુઅલ ફંડમાં નફો મેળવવા માટે રોકાણકારે હંમેશા ફંડની એસેટ ફાળવણી અને વિવિધતાને ધ્યાનમાં રાખવું જોઈએ. ઘણા રોકાણકારોની સૌથી મોટી ભૂલ એ છે કે, તેઓ બધા પૈસા એક ફંડમાં એકસાથે રોકે છે. આ ખૂબ જોખમી હોઈ શકે છે આ કારણોસર રોકાણકારે વારંવાર તેને ટાળવું જોઈએ.

મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં મોટાભાગે લોકો કરે છે આ પાંચ મોટી ભુલો, ચેક કરો  તમે પણ કરી છે? | mutual fund investment people often make these five big  mistakes know more

 રોકાણ પર નજર રાખવી જોઈએ
રોકાણકારે કોઈપણ ફંડમાં રોકાણ કર્યા પછી બેલેન્સ રાખવું જોઈએ. રોકાણકારે હંમેશા તેના રોકાણ પર નજર રાખવી જોઈએ. જો રોકાણકાર તેના રોકાણ પર નજર રાખે છે તો તે જાણી શકશે કે તેને કેટલો નફો થઈ રહ્યો છે અથવા તેને હાલમાં કેટલું નુકસાન થયું છે. જો રોકાણકારને લાગે છે કે તેના દ્વારા કરવામાં આવેલ રોકાણથી વધુ વળતર મળી રહ્યું નથી તો તે યોગ્ય સમયે તેનું ફંડ પણ ઉપાડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Business News Investment Mutual funds business મ્યુચ્યુઅલ ફંડ  રોકાણકારો mutual funds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ