શું તમે જાણો છો કે ભોજનનો સ્વાદ વધારનારી રાઇ તમને ખરાબ નજરથી પણ બચાવી શકે છે?
જો તમને પણ આ વાત નથી ખબર તો અમે તમને જણાવીશું કે ધાર્યા કામ પાર પાડવા કે ખરાબ નજરથી બચવા રાઇનો ઉપયોગ કેવી રીતે કરી શકાય..
-જો પરિવારમાં કોઇને ખરાબ નજર લાગી ગઇ હોય તો રાઇનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો. આ માટે સૌથી પહેલા 7 રાઇના દાણા લો, તેની સાથે સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા લો. આ ત્રણ વસ્તુઓને પીડિતના માથેથી સાત વખત ફેરવી ઉતારી લો અને અગ્નિમાં નાખી દો. અગ્નિ માટે આંબાની ડાળોનો જ ઉપયોગ કરો. આ કામ જમણા હાથથી કરવુ. આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે નજર ઉતારનારા શખ્સને ટોકવુ નહી.
- જો તમારા કામો કોઇ કારણોસર પૂરા નથી થઇ રહ્યા તો આ બાધાને દૂર કવરા માટે ગુરુવારને દિવસે રાઇનું દાન કરો. આમ ઉપાયને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારી તમામ બાધાઓ દૂર થશે અને અટકેલા કામ પણ પૂરા થશે.
- જો તમારું નસીબ તમારુ સાથ આપતુ નથી, દુર્ભાગ્ય તમારો પીછો ના છોડતુ હોય તો તમે રાઇનો ઉપયોગ કરીને સારા દિવસો પાછા મેળવી શકો છો. એક ઘડામાં પાણી ભરી, તેમાં રાઇના પત્તા નાખો. આ શુદ્ઘ જળથી સ્નાન કરનારનું દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં સુખ-સમુદ્ઘિ આવે છે.
- જો પરિવારમાં કોઇ સભ્યનો ગુસ્સો વધારે છે અથવા તો વધારે ચીડિયાપણુ છે તો આ માટે પણ રાઇ એક અસરકારક ઉપાય છે. પરિવારના તે સભ્યના માથા પરથી રાઇ અને મરચા સાત વખત ફેરવી લઇ અને ફેંકી દો. થોડા જ સમયમાં તમને તેમના સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે.