અત્યારે વધુને વધુ લોકો વીગન જીવનશૈલી તરફ વળી રહ્યા છે. ક્યારેક એવુ પણ બને છે કે દેખાદેખીમાં વીગનીઝમ ફોલો કરનાર વ્યક્તિમાં અમુક પોષકતત્વોની ઉણપ પણ સર્જાઇ શકે છે. વીગનીઝમનો અર્થ એ છે કે માત્ર આહારમાં નહીં, પરંતુ જીવનમાં પણ એવી કોઇ પણ ચીજનો વપરાશ ન કરવો જે સીધી કે આડકતરી રીતે પ્રાણીજન્ય હોય. આ માટે માત્ર શાકાહારી હોવું પુરતુ નથી. તમામ ડેરી પ્રોડક્ટ્સ, મધ, પ્રાણીજન્ય ચરબી જેમકે ઘી, બટર જેવી ચીજોને ભોજનમાંથી વર્જ્ય કરીને તમે વીગન બની શકો છો.
જીવદયા અને કરુણા માટે જાણીતા ભારત કરતા વિદેશમાં વીગેનિઝમ વધુ બહોળુ છે. વીગનીઝમમાં તમે પ્રાણીજન્ય દુધ નથી પીતા, પરંતુ પ્લાન્ટ બેઝ્ડ અન્ય ચીજો છે જેમાં પણ સારી એવી માત્રામાં કેલ્શિયમ હોય છે. સોયા, આલમન્ડ, સિંગ-ચણા, કાળા તલ અને અન્ય તેલિબીયામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. લોકો માને છે કે દુધ પીવાથી જ કેલ્શિયમ મળે, પરંતુ તેવુ નથી. ગાયોને આપવામાં આવતા હોર્મોન્સ અને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શનના કારણે દુધમાનુ કેલ્શિયમ સુપાચ્ય રહેતુ નથી. લીલા પાંદડાવાળા શાકભાજીથી તમામ વિટામીન્સની પુરતી થાય છે.
વિગનિઝમ અપનાવવા આટલુ કરો
ડેરી પ્રોડક્ટ્સ જમવામાંથી બાદ કરી દેવાથી તમે વીગન તો થઇ જશો, પરંતુ એ પછી પણ તમારે જંકફુડ અને પ્રોસેસ્ડ ફુડને
તો ટાળવું જ પડશે. તળેલા ગુજરાતી નાસ્તા વીગન જ છે, પરંતુ હેલ્ધી નથી.
હેલ્ધી વીગન બનવા માટે તમારે બહુ કાળજી રાખવી પડશે. શાકભાજી, ફળો, ધાન્યો અને કઠોળને બને એટલા નેચરલ
ફોર્મમા લેશો તો તકલીફ નહીં પડે.
સંપુર્ણ દુધની વાનગીઓ ન છોડી શકતા હો તો પહેલા પનીર, આઇસ્ક્રીમ, મિલ્કશેક જેવી ચીજો છોડો. ત્યારબાદ ચા અને
કોફીની આદત છોડો.
વીગનિઝમની શરુઆત પહેલા વિટામીન ડી અને વિટામીન બી-12નું લેવલ તપાસી લો. જરુર પડે સપ્લીમેન્ટ્સ લેવાનુ
પણ શરુ કરી દો.
ફળો, શાકભાજી, તેલીબિયાં, ડ્રાયફ્રુટ્સ અને હોલ ગ્રેઇન્સની વરાઇટી ફુડમાં ઉમેરો.