આસામના ગુવહાટીની હોટલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના નવા ટ્વિટે રાજકીય સંકટને ઘેરુ બનાવી દીધું છે.
મહારાષ્ટ્રનું રાજકીય સંકટ ઘેરુ બન્યું
બળવાખોર નેતા એકનાથ શિંદેએ કર્યું લેટેસ્ટ ટ્વિટ
કહ્યું-MVA ગઠબંધનમાંથી બહાર નીકળવું જરુરી
શિવસેનાના અસ્તિત્વ માટે આવું કરવું જરુરી
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પાર્ટી સમક્ષ ફરી વાર એક મોટી શરત મૂકી છે. શિંદેએ આસામની હોટલમાંથી ટ્વિટ કરીને કહ્યું કે શિવસેના અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે કોઈ પણ ભોગે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ અઘાડી સરકારે ફક્ત સાથી પક્ષોને ફાયદો પહોંચાડ્યો છે અને તેને કારણે શિવસૈનિકોને મોટું નુકશાન થયું છે. ઉદ્ધવ ઠાકરેની ઓફર બાદ એકનાથ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવું પડશે.
"It's essential to get out of the unnatural alliance for the survival of the party," tweets rebel Shiv Sena MLA Eknath Shinde#Maharashtrapic.twitter.com/6HFwCTKGwh
શિંદેએ ઠાકરે સામે રાખી આ મોટી વાત
(1) છેલ્લા અઢી વર્ષમાં એમવીએ સરકારને માત્ર ઘટક પક્ષોને જ ફાયદો થયો અને શિવસૈનિકોને ભારે નુકસાન થયું.
(2) ઘટક પક્ષો વધુ મજબૂત બની રહ્યા છે, શિવસેનાને રીતસરની ધૂસણી કરવામાં આવી રહી છે.
(3) પક્ષ અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે અકુદરતી મોરચેથી બહાર નીકળવું જરૂરી
(4) મહારાષ્ટ્રના હિતમાં હવે નિર્ણય લેવાની જરૂર છે
ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લોકોને કર્યાં સંબોધિત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે જો એક પણ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી તરીકે જોવા તૈયાર નથી તો તેઓ રાજીનામુ આપી શકે છે.
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી, હું કોઇના પર નિર્ભર નથી. ભાજપ મને સતત ખરાબ કહી રહી છે. મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે તે કહેવા યોગ્ય છે. જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભલે તેઓ રાજીનામું આપી દે, પરંતુ તેઓ પોતાની જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમનું કહેવું છે કે મારી જગ્યાએ જો કોઇ શિવસેનાનો મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. જે લોકો નારાજ ધારાસભ્યો છે તેમણે આવીને વાત કરવી જોઈએ. હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારું નાટક નથી... હું તમારી સાથે આવવા માટે તૈયાર છું... કોની પાસે કેટલું છે તેની મને પરવા નથી. જેની પાસે સંખ્યા છે તે જીતે છે.