11 ઓગસ્ટ 2018 એટલેકે આજના દિવસે ચાલુ વર્ષનુ ત્રીજુ અને છેલ્લુ સૂર્ય ગ્રહણ યોજાયું. આ સૂર્ય ગ્રહણ આંશિક હશે અને ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર આ બપોરે 1 વાગે 32 મિનિટથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણનો કુલ સમય લગભગ 3 કલાક 28 મિનિટનો રહેશે.
આ ગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં હશે. આ આંશિક સૂર્ય ગ્રહણ ઉત્તર અને પૂર્વ યૂરોપ ઉત્તર અમેરિકા તથા ઉત્તર અને પશ્ચિમ એશિયામાં દેખાશે. ભારતમાં તેના દર્શન થશે નહીં. એટલે સૂતક સંબંધી નિયમોનું પાલન કરવાની જરૂર નથી.
જ્યોતિષની ભાષામાં જ્યારે સૂર્ય અને ચંદ્રમા રાહુ અને કેતુથી પીડિત હોય છે ત્યારે-ત્યારે ગ્રહણની ઘટના ઘટે છે. સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા બાદ તાત્કાલિક આ ઉપાય કરી ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે. આવો જાણીએ શું ઉપાય કરવો જોઈએ.
ગ્રહણ ખત્મ થયા બાદ સ્નાન કરો સ્નાન કર્યા બાદ નવા અથવા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. સ્નાન કર્યા બાદ જ પૂજા ઘરમાં પ્રવેશ કરો. ત્યારબાદ ગુડ ગેહુ અને તાંબાના વર્તનોનું દાન કરો. પોતાના પિતૃઓને યાદ કરો અથવા દાન કરો. જો આજુબાજુમાં કોઈ ધાર્મિક સ્થળ છે તો ત્યાં પૂજા કરો. જો આસપાસ ઘાટ છે તો ત્યાં જઈને શિવજીની પૂજા કરવી જોઈએ.
ગ્રહણ કાળ ખત્મ થયા બાદ દેવતાઓની મૂર્તિઓને ગંગાજળ છાંટી શુદ્ધ કરવી જોઈએ. ગ્રહણ ખત્મ થતાં જ ઘરની અંદર અને આજુબાજુના છોડને ગંગાજળ છાંટી શુદ્ધ કરી દેવુ જોઈએ. ઘરમાં પોતું કરીને અગરબત્તી કરવી જોઈએ જેનાથી બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળે.