ફ્રાન્સમાં રાજકીય પ્રવાસ પર પેરિસ પહોંચેલા પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ.
પેરિસમાં એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસલમાનોઓ તિરંગાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમિયાન 'ભારત માતા કી જય' ના નારા લગાવવામાં આવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને મુસલમાન વિરોધી સાબિત કરવા માટે દુનિયાભરમાં અભિયાન ચલાવનારા પાકિસ્તાનને આ પસંદ ના આવ્યુ. ઇમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીના સ્વાગતથી એટલી હદે ચિઢાઇ ગયા કે તેમણે ટ્વીટ કરીને પોતાનુ દુખ વ્યક્ત કર્યુ.
ફવાદ ચૌધરીએ પ્રધાનમંત્રી કાર્યાલયથી શૅર કરેલા વીડિયો ટ્વીટ પર રિપ્લાય કરતા લખ્યુ કે, કેટલા રૂપિયા લાગવ્યા હતા આ ડ્રામા પર? પાકિસ્તાની મંત્રીના ટ્વીટ પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. પ્રકાશ તિવારીએ લખ્યુ કે, ''ફવાદ ચૌધરી, નામ જેવા જ ગુણો છે.. ટામેટા અને રોટી વેચનારા પૈસા વિશે પૂછી રહ્યા છે.''
Paiso ki baat mat karo sahab , jo chiz apke pass nhi ho uske baare mai baat nai karne chahiye 🤣🤣😆🐷🐷🐷
મોહમ્મદ સાજિદ ડારે કહ્યુ કે,'' રૂપિયાની વાત ના કરો. જે વસ્તુ તમારી પાસે નથી તેના વિશે વાત ના કરો.'' મનીષ જોષીએ લખ્યુ કે, ''તમામ મુસ્લિમ કેમ ભ્રષ્ટ લાગે છે? ભાઇ તમારા દેશમાં મુસ્લમાન 2-2 માં વેચાઇ જતા હશે, અમારા દેશમાં નહી.''
ઉલ્લેખનીય છે કે, ફવાદ ચૌધરી એ છે જેમણે ભારતીય સેનાના શિખ સૈનિકોને અપીલ કરી હતી કે તેઓ કાશ્મીરમાં પોતાની ડ્યૂટી કરવા માટે ઇન્કાર કરી દે, જે પછી કેપ્ટન અમરિંદર સિંહ તેમણે ફટકાર લગાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે ફવાદને ટેગ કરતા લખ્યુ હતુ કે, ''ભારતના આંતરિક મામલામાં દખલગીરી ના કરો, હું સ્પષ્ટ કરી દઉ કે, ભારતીય સેના એક અનુશાસિત અને રાષ્ટ્રવાદી ફોર્સ છે. આ તમારી પાકિસ્તાની સેનાની જેમ નથી. તમારુ નિવદેન કામમાં નહી આવે અને ન તો ભારતીય લશ્કરના જવાનો આ ભાગલાવાદી સલાહ પર કોઈ ભાવ નહીં આપે.’