દિલ્હીમાં શનિવારે 61 ટકાથી વધુનું મતદાન થયું છે. ત્યારે આ વખતે દિલ્હીની ચૂંટણીમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો કેન્દ્ર સ્થાને રહ્યાં છે. જેનું મુખ્ય કારણ છે શાહીન બાગ અને જામિયામાં CAAનો વિરોધ. દિલ્હીની ચૂંટણીમાં તમામ પક્ષો જીતનો દાવો કરી રહ્યાં છે. ભાજપ 45થી ઉપર સીટ આવશે તેવું કહે છે. તો કોંગ્રેસ પોતાની સરકાર બનશે તેવો દાવો કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ કહી રહી છે કે ફરી કેજરીવાલની સરકાર આવશે.
કેવી રહ્યું મુસ્લિમ મતદારોનું વલણ?
મતદાન સમય મુસ્લિમ મતદારોના મનમાં શું હતું?
ક્યા મુદ્દાઓ પર મુસ્લિમોએ આપ્યા મત?
મુસ્લિમોએ ક્યા મુદ્દા પર કર્યું મતદાન ?
શાહિન બાગ અને જામિયામાં થયેલા વિરોધને લઇ મુસ્લિમ મતદારોનું વલણ કોની તરફ હશે તેને લઇ લોકોના માનમાં સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે મતદાન વખતે મુસ્લિમ મતદારોના મનમાં સુરક્ષા, શાંતિ અને વિકાસ આ ત્રણ મુદ્દા મહત્વના હતા. કેટલાક મુસ્લિમ મતદારોએ સ્પષ્ટ કહ્યું કે તેઓએ વિભાજનકારી રાજનીતિને હરાવવા માટે રણનીતિ અંતર્ગત મતદાન કર્યું છે. એ બતાવવામાં પણ ખચકાટ નથી અનુભવ્યો કે AAPએ છેલ્લા 5 વર્ષમાં તેમનો વિશ્વાસ જીત્યો છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ સસ્તી વીજળી, પાણી અને સ્વાસ્થ્ય સંબંધી સારી સુવિધાઓને લઇને ખુબ પ્રભાવિત થઇ છે. ચાંદની ચોક અને ઉત્તર પૂર્વી દિલ્હીના મોટાભાગના મુસ્લિમ વિસ્તારમાં AAPની લહેર સ્પષ્ટ જોવા મળી રહી છે.
કેમ મહત્વના છે મુસ્લિમ મતદાર?
ભાજપ તો ક્યાંકને ક્યાંક માની ચૂકી છે કે મુસ્લિમ મતદારોના મત તેમની તરફ નથી. પરંતુ મોટો સવાલ એ છે કે મુસ્લિમ મતદાર AAP તરફ રહ્યાં કે કોંગ્રેસ પાસે. કારણે જો કોંગ્રેસ પાસે મુસ્લિમ મતદારો ગયા હશે તો પરિણામ ચોંકાવનારા આવી શકે છે. જો કે રાજકીય પંડિતોનું કહેવું છે કે મુસ્લિમ મતદારો AAP તરફ જ રહ્યાં છે. મુસ્લિમ મતદારોની મતદાન ટકાવારી કુલ મતદારોના 12 ટકા છે. દિલ્હીની એવી 9 વિધાનસભા બેઠક છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 20 ટકાથી પણ વધુ છે. જેમાં ચાંદની ચોક 20 ટકા, મટિયા મહલ 48 ટકા, બલ્લીમારાન 38 ટકા, સલીમપુર 50 ટકા, ઓખલા 43, કિરાડી 30, સીમાપુરી 25, બાબરપુર 35 અને મુસ્તફાબાદમાં 35 ટકા મુસ્લિમ મતદારોની સંખ્યા છે. આ સંખ્યા કોઇપણ પક્ષની બાજી ફેરવી શકે છે.
IANS-Cવોટર એક્ઝિટ પોલ
મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને ભારે સમર્થન આપ્યુ છે. જેને જોતા એ સ્પષ્ટ છે કે દિલ્લીમાં મુસ્લિમ મતદારોએ પણ આપને સમર્થન આપ્યું હશે. IANS-Cવોટર એક્ઝિટ પોલના પરિણામ મુજબ મુસ્લિમ સમાજના 60 ટકા જેટલા મતદારોએ આપના સમર્થનમાં મતદાન કર્યું છે. જ્યારે 18.9 ટકા મતદાતાઓએ ભાજપ અને 14.5 ટકા મતદારોએ કોંગ્રેસના પક્ષમાં સમર્થનમાં મતદાન કર્યું છે. આ સર્વેક્ષણમાં દિલ્હીની તમામ 70 વિધાનસભાના વિસ્તારોમાંથી 11 હજાર 839 મતદાતાઓને સામેલ કરાયા હતા.એટલે કે મુસ્લિમ વિસ્તારમાં AAPનો દબદબો જોવા મળી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે જો લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભામાં પણ મુસ્લિમ મતદારોના મત કોંગ્રેસમાં ગયા તો પરિણામ ચોંકાવનારા આવી શકે છે.