ભાવનગર / મુસ્લિમ બિરાદરોએ 80 ટકા પાણી બચાવતા નળને વિનામૂલ્યે આપવાની કરી જાહેરાત

Muslims Mosque water saving tap bhavnagar

સમગ્ર રાજયમાં પાણીની અછત અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે 'જળ બચાવો-જીવન બચાવો'ના સુત્રને સાર્થક કરી ભાવનગરના મુસ્લિમ બિરાદરો દ્વારા આધુનિક નળો મસ્જિદોમાં ફીટ કરી હાલ 80% પાણીનો બચાવ કરી રહ્યા છે. આધુનિક અને સ્ટીક વાળા આ નળમાં પાણીનો વ્યય સહેજ પણ થતો નથી અને પાણીની સાથે વીજળીની બચત પણ થાય છે. શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આ નળને મંદિરોમાં અને દેરાસરો સહીત વિવિધ સ્થળે વિનામૂલ્યે ફીટ કરી આપવાની જાહેરાત કરી પાણી બચાવ અભિયાનમાં જોડાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ