મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાએ શનિવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. શિવસેના (ShivSena) એ શનિવારે કહ્યું કે, બાંગ્લાદેશી અને પાકિસ્તાનના મુસ્લિમ ઘુસણખોરોને ભારતથી બહાર નીકાળવા જોઇએ.
શિવસેનાએ CAA પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
શિવસેનાએ 'સામના' માં રાજ ઠાકરે પર નિશાન સાધ્યું
બાંગ્લાદેશી અને પાકિસ્તાનના મુસ્લિમ ઘુસણખોરોને બહાર કરો
શિવસેના (ShivSena)એ હિન્દુત્વ (Hindutva) ની તરફ પોતાની વિચારધારા બદલવા માટે રાજ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, વી.ડી સાવરકર અને દિવંગત પાર્ટી સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે દ્વારા પ્રસારિત વિચારધારા તરીકે હિન્દુત્વના મુદ્દા પર ચાલવુ બાળકોનો ખેલ નથી. શિવસેનાએ એમ કહેતા મનસે પર કટાક્ષ કર્યો છે કે, બે ઝંડા હોવુ બતાવે છે કે, મગજમાં ભ્રમ છે.
શિવસેનાએ પાર્ટીના સામાયિક 'સામના' માં એક સંપાદકીય લેખમાં કહ્યું,'પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમ ઘુસણખોરોને ભારતથી બહાર કરી દેવા જોઇએ. તેમા કોઇ શંકા ન હોવી જોઇએ. પરંતુ એ જોવુ રસપ્રદ છે કે, એક પાર્ટી તેના માટે પોતાનો ઝંડો બદલી રહી છે. તેમાં આગળ લખ્યું છે કે, બે ઝંડા હોવું મગજમાં ભ્રમની સ્થિતિ બતાવે છે. રાજ ઠાકરેએ મરાઠી મુદ્દા પર 14 વર્ષ પહેલા પોતાની પાર્ટીની સ્થાપના કરી હતી પરંતુ હવે તે હિન્દુત્વની તરફ જતી દેખાઇ રહી છે.
નોંધનીય છે કે, રાજ ઠાકરેએ ગુરુવારે પોતાની પાર્ટીના નવા ઝંડાનું અનાવરણ કર્યું, જે ભગવા રંગનો છે અને તેમા યોદ્ધા રાજા શિવાજીના સમય દરમિયાન ઉપયોગ કરવામાં આવેલી 'રાજમુદ્રા' છે.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી પાર્ટીએ કહ્યું, સાવરકર અને બાલાસાહેબના હિન્દુત્વના મુદ્દાને લઇે ચાલવુ બાળકોનો ખેલ નથી. તો પણ જો કોઇ હિન્દુત્વની વાત કરી રહ્યું છે તો અમારી પાસે તેમનું સ્વાગત કરવાની મોટાઇ છે. વિચાર ઉદ્ધાર કરવાના ભલે હોય પરંતુ હિન્દુત્વના છે, તો થઇ શકે તો આગળ વધો.