નવી દિલ્હીના જામિયા નગરના કેટલાંક મુસ્લિમ પરિવારોએ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની નવી મિસાલ રજૂ કરી છે. જામિયાનગરના સ્થાનિકોએ સમયસર કાયદાકીય કાર્યવાહી કરીને એક જૂના મંદિરનું રક્ષણ કરી લડાઈ જીતી લીધી છે. જોકે, મંદિરની બાજુમાં સ્થિત ધર્મશાળાના એક ભાગને અસામાજિક તત્વોએ તોડી નાખ્યો છે.
હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની નવી મિસાલ રજૂ કરી
મુસ્લિમ પરિવારોએ મંદિરનું કર્યુ રક્ષણ
હાઈકોર્ટનો આદેશ, મંદિર પરિસરમાં કોઈ ગેરકાયદેસર તોડફોડ નહીં થાય
મંદિરને બચાવ્યું
મંદિર અને તેની આજુબાજુની જમીન પર પ્રભુત્વ જમાવવાની દાનતથી કેટલાંક લોકોએ ધર્મશાળાનો એક ભાગ તોડી નાખ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નૂર નગર સ્થિત વોર્ડ 206ની કમિટીના અધ્યક્ષ સૈયદ ફોઝુલ અજીમ અને તેના કેટલાંક સાથીઓના ધ્યાનમાં આ વાત આવી અને આ મામલાને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ઉજાગર કરી. નૂર નગર વિસ્તારમાં રહેતા અરજદારો મુજબ, રાતોરાત આ ભાગને પાડી દેવામાં આવ્યો. કારણકે અસામાજિક તત્વો અને બિલ્ડરોની મિલીભગતના કારણે ત્યાં કબજો જમાવી શકાય.
હાઈકોર્ટે કહ્યું, જમીન પર બાંધેલા બાંધકામ પર તોડફોડ નહીં થાય
ફોઝુલ અજીમની આગેવાનીવાળી સમિતિએ આ ક્ષેત્રના લેઆઉટ પ્લાનનો ઉલ્લેખ કરી કોર્ટમાં પોતાનો પક્ષ મુક્યો હતો. આ સિવાય કમિટીએ કોર્ટ સમક્ષ ધર્મશાળાને તોડતી વખતે ખેંચેલી તસ્વીરો પણ રજૂ કરી. ત્યારબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવાની ખંડપીઠે કહ્યું કે કોર્ટમાં મુકવામાં આવેલા દસ્તાવેજો મુજબ લે-આઉટ પ્લાન મુજબ આ જગ્યાએ મંદિર છે અને તેથી આ જમીન પર આક્રમણ થઇ શકશે નહીં.
હાઈકોર્ટનો આદેશ
આ સંદર્ભે સુનાવણી કરતા હાઈકોર્ટે દિલ્હી સરકાર, પોલીસ કમિશ્નર, એમસીડી સાઉથ અને જામિયા નગરના પોલીસ સ્ટેશનને આદેશ આપ્યો છે કે તેઓ નક્કી કરે કે ભવિષ્યમાં મંદિર પરિસરમાં કોઈ ગેરકાયદેસર તોડફોડ નહીં થાય. બીજી તરફ કાયદો-વ્યવસ્થાની કોઈ સમસ્યા થશે નહીં.