ઉત્તર પ્રદેશના કૈરાનાના ધારાસભ્ય નાહિદ હસનના વાઇરલ વીડિયો પર સમાજવાદી પાર્ટીના નેતાએ પ્રતિક્રિયા આપી છે. રામપુર સાંસદ આઝમ ખાને મોટું નિવેદન આપ્યું છે. દેશમાંથી હાલ મુસલમાનોને કાઢી મુકવાના પ્રયાસ ચાલી રહ્યા હોવાની વાત કરી હતી.
આઝમ ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે, મુસ્લિમ સમુદાયને ગાંધી બાપુ અને તમામ લોકોએ રોક્યા હતા.આજે અમને કહેવામાં આવી રહ્યું છે કે, અમારું સ્થાન કબ્રસ્તાન કે પછી પાકિસ્તાન છે.
Azam Khan, SP MP: Bapu, Maulana Azad, Sardar Patel, Nehru ji asked us to stay back.Bhaagte huye Musalman ruk gaye they. Bapu had assured us that this nation as much ours as it is anyone else's. But what's the treatment being meted out? 'Tumhara sthaan kabristan ya Pakistan'.(2/2) https://t.co/FrGEZ55TBa
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના કૈરાનાના ધારાસભ્ય નાહિદ હસને એક વીડિયો જાહેર કરી, પોતાના વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ સમાજના લોકોને ભાજપના દુકાનદારો પાસેથી સામાન ન લેવા માટે અપીલ કરી હતી. જે બાદ નાહિદ હસનના વીડિયો પણ વિવાદ શરૂ થયો હતો.
Azam Khan, SP on SP MLA from Kairana, Nahid Hasan allegedly asking the people of the area to boycott BJP shopkeepers: It is sad that such situation arose. Who is responsible for it? Who had started this? We stayed back (in India), our ancestors stayed back. (1/2) pic.twitter.com/GlfH2UItzW
આ વિવાદમાં યુપીના નેતા આઝમ ખાન પણ કૂદી પડ્યા હતા. અને મહાત્મા ગાંધીથી લઈ પાકિસ્તાન અને કબ્રસ્તાન સુધીની વાત કરી દીધી હતી. આ પહેલા પણ મોબ લિંચીંગ મામલે પણ આઝમ ખાને આ પ્રકારનુ નિવેદન આપ્યું હતું.
આપને જણાવી દઇએ કે, આઝમ ખાન વિવાદીત નિવેદન માટે પ્રખ્યાત છે. આઝમ ખાને જયા પ્રદા સામે વિવાદીત નિવેદન કર્યું હતું. હાલમાં તેમના પર જમીન પચાવવાનો આરોપ લાગ્યો હતો અને તેમને ભૂમાફિયા કહીને ભાજપે પ્રહાર કર્યા હતા. આ મામલે આઝમે ભાજપ પર આરોપ લગાવ્યો કે બદલાની ભાવનાથી આ કાર્યવાહી કરાઈ હોવાની વાત કરી હતી.