ભારતનાં નવા નાગરિક્તા કાયદાની વિરુદ્ધ અમદાવાદનાં શાહ - એ- આલમ વિસ્તારમાં ભેગા થયેલા ટોળાએ પોલીસ પર પત્થર મારો કર્યો હતો. વિરોધ દરમિયાન હજારો લોકોની ભીડ અચાનક બેકાબુ થઈ ગઈ હતી. તેમજ ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પત્થર મારો કરવામાં આવ્યો હતો.
ટોળું પોલીસ પર પત્થર મારો કરી રહ્યું હતુ, પોલીસકર્મી ઘાયલ થયા
ઘાયલ પોલીસકર્મીઓને કરી આ મહિલાએ મદદ
પોલીસને ઘરમાં આશ્રય આપ્યો અને કરી સેવા
ટોળું પોલીસ પર પત્થર મારો કરી રહ્યું હતુ, પોલીસકર્મી ઘાયલ થયા
આ ઘટનાના વીડિયો ઓનલાઈન જોવા મળી રહ્યાં છે. જેમાં નજરે પડી રહ્યું છે કે લોકો પત્થર મારો કરી રહ્યાં છે અને પોલીસ જીવ બચાવી ભાગી રહી છે. પોલીસ જીવ બચાવવા માટે દુકાનોમાં નાની નાની લારીની પાછળ છુપાઈ ગઈ હતી.
કેટલીક મહિલાઓએ પોલીસકર્મીઓને બચાવ્યા હતા
એક તરફ લોકો પોલીસ પર પત્થર મારો કરી રહ્યા હતાં બીજી તરફ કેટલાક લોકો તેમને બચાવવાનો પ્રયાસ પણ કરી રહ્યાં હતાં. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શાહ -એ - આલમ વિસ્તારમાં કેટલાક લોકો પોલીસને બચાવવા માટે ઢાલ બની ગયાં હતાં. આ વિસ્તારમાં રહેવાવાળી કેટલીક મહિલાઓએ પોલીસકર્મીઓને બચાવ્યા હતા.
ઘાયલ મહિલા પોલીસકર્મી રડી રહી હતી
સ્થાનીક ફરીન બાનોએ જણાવ્યું હતું કે પોલીસ પર પત્થર મારો કરવામાં આવી રહ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેટલાક પોલીસકર્મીઓ નજીકની એક દુકાનમાં છુપાઈ ગયાં હતાં. અમારા ઘર પાસે ઉભેલા કેટલાક પોલીસ કર્મીઓને યુવકો ઘરમાં લઈ આવ્યાં હતાં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે તેમને બરફ ઘસીને માલિશ કરી જેનાંથી તેમને રાહ થઈ હતી. ' ફરીન બાનુનાં જણાવ્યાંનું સાર ઘાયલ મહિલા પોલીસકર્મી પણ તેમનાં ઘરે ગઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ ખૂબ ડરેલી હતી. તેના માથે એક પત્થર વાગ્યો હતો અને તે રોઈ રહી હતી. એક અન્ય પોલીસ અધિકારીનાં હાથ પર પણ પત્થર વાગ્યો હતો. તેઓ પણ ખૂબ ગભરાયેલા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે તેમને શાંત કર્યાં હતાં.
ફરીન બાનુંએ જણાવ્યું હતું કે પોલીસકર્મીઓનાં માથા પર ગંભીર ઈજા થઈ હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમનાં માથા પરથી લોહી વહી રહ્યું હતું. અમે થોડુંક રુ દબાવી દીધું હતું અને રુમાલ બાંધી દીધો હતો.
માનવતાનાં ધોરણે તેમની મદદ કરવી જોઈએ.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે અમારા ઘરમાં બે પોલીસકર્મીઓ અને એક મહિલા કોન્સ્ટેબલને રાખ્યા હતાં. તેમજ બચેલા 3 લોકોને મકાનનાં પાછળવાળા રુમમાં મોકલી દીધાં હતાં કેમ કે તે ગભરાયેલા હતાં. ફરીન બાનુંએ જણાવ્યું હતું કે એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે સામે કોણ છે. આપણે માનવતાનાં ધોરણે તેમની મદદ કરવી જોઈએ.