યુપીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. નારાજ સાસરિયાવાળાઓએ મારપીટ કરીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી.
યુપીમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો
ભાજપને વોટ આપતા પરિવારના સભ્યો ભડક્યા
વહુને મારી છૂટાછેડાની ધમકી આપી
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. નારાજ સાસરિયાવાળાઓએ મારપીટ કરીને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. સાથે જ તલાક આપવા અને પોલીસમાાં ફરિયાદ કરવા પર ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી.
બરેલીના એઝાઝ નગર ગૌટિયા નિવાસી તાહિર અંસારીની દિકરી ઉઝમાનો નિકાહ એજ એરિયામાં રહેતા તસ્લીમ અંસારી સાથે જાન્યુઆરી 2021માં થયા હતા. બંનેના લવ મેરેજ હતા. પીડિતાએ જણાવ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપને વોટ આપ્યો હતો. આ વાતની જાણકારી સંબંધીમાં મામા મૌલાના તય્યબ અને દિયર આરિફને થઈ ગઈ અને તેમણે પહેલા પૂછ્યુ કે, કોને વોટ આપ્યો હતો. મહિલાએ જ્યારે જણાવ્યું કે, ભાજપને વોટ આપ્યો હતો, તો તે ભડકી ગયા. તેને ખૂબ મારી. મામા અને દિયરે કહ્યું કે, તેણે ભાજપને મત આપ્યો છે એટલે તલાક આપશે. ભાજપ સરકાર રોકી શકે તો રોકી બતાવે. પીડિતાના પિતા તાહિર અંસારીનું કહેવુ છે કે, તેઓે મહેનત મજૂરી કરે છએ. દિકરીને સાસરિયાવાળાઓએ મારપીટ કરીને કાઢી મુકી. તો વળી પીડિતા અને પરિવારના લોકોએ પોલીસની મદદ માગી છે. તો વળી પતિ સાથે આ સંબંધમાં વાત થઈ નથી.
તંઝીમ ઉલમા-એ- ઈસ્લામના રાષ્ટ્રીય મહાસચિવ મૌલાના શહાબુદ્દીન રજવીએ કહ્યું કે, રાજકીય પાર્ટીઓને વોટ આપવો તે સંવૈધાનિક અધિકાર છે. કોઈ પણ મહિલા, પુરૂષ કોઈ પણ ઉમેદવારને વોટ આપી શકે છે. તેને રાજકીય દ્રષ્ટિએ જોવું તે યોગ્ય નથી. સાસરિયા અને પતિ આ વાતને લઈને તલાકની ધમકી આપવા લાગ્યા છે કે, પીડિતાએ ભાજપને વોટ આપ્યો તે ખોટું છે. સાસરિયાવાળાની મરજી છે કે, તે માફી માગે. અને જો તે આવું નહીં કરે તો, શરીયતની નજરમાં તે ગુનેગાર બનશે.