ઓવૈસી ભાજપની B ટીમ છે તેવુ મતદારોને સમજાવવામાં સફળ થયા હોવાનો ગ્યાસુદ્દીન શેખનો દાવો, બીજી તરફ અસુદ્દીન ઔવેસી સુરતની મુલાકાતે
AIMIMના પ્રભાવને લઇને મુસ્લિમ ધારાસભ્ય સક્રિય
MLA ગ્યાસુદ્દીન શેખે તૈયારીઓ પૂર્ણ કરી
ગ્યાસુદ્દીન શેખની ટિકિટ જાહેર થઇ નથી
રાજ્યભરમાં ઓવૈસીની પાર્ટી AIMIM પગ પેસારો કરી રહી છે. ત્યારે કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સતર્ક થઈ ગયા છે. AIMIMના પ્રમુખ અસુદ્દીન ઔવેસી એક બાદ એક ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે. આજે તે સુરતના પ્રવાસે છે. પાર્ટીનું સંગઠનની મિટિંગ માટે આ મુલાકાત કરી હોવાનું જણાવતા તેઓએ એલાન કર્યું છે કે બેરોજગારી શિક્ષા અને મોંઘવારીના મુદ્દે ચૂંટણી લડીશું, ચૂંટણીની તૈયારી માટે સુરત આવવાનું થયું. તો બીજી તરફ AIMIMના વધતાં પ્રભાવને જોઇ કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોના મનમાં ડર પેદા થયો છે અને અત્યારથી તેઓ ચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે અને AIMIM મોટા આરોપ કરી રહ્યા છે.
ટિકિટ મળે તે પહેલાં ગ્યાસુદ્દીન શેખે કરી લીધી તૈયારી
ઔવેસીને ભાજપની B સાબિત કરવા કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યો મેદાને પડ્યા છે. મિશન 2022 માટે કોંગ્રેસ MLA ગ્યાસુદ્દીન શેખે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેઓએ બુથ એજન્ટોની નિમણૂકો કરી તમામ વોર્ડના સોશ્યલ મીડિયાના ગ્રુપ બનાવ્યા છે. ગ્યાસુદીન શેખે પોતાના વિસ્તારના 4 હજાર કાર્યકરોની યાદી તૈયાર કરી છે. પ્રચાર માટેનું સાહિત્ય પણ શેખે તૈયાર કરી લીધું છે અને વોર્ડ મુજબની બેઠકો કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ તૈયારીઓને આખરી ઓપ અપાતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે ઓવૈસી ભાજપની B ટીમ છે હાલ ગુજરાતમાં તે પ્રચાર કરી રહ્યા છે.
AIMIMના કારણે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રસને ગયું હતું નુકસાન
મહત્વનું છે કે 2022ની ચૂંટણીમાં ઔવેસી ન નડે તે માટે કોંગ્રેસ અત્યારથી કામે લાગ્યું છે. કોંગ્રેસે હજુ ગ્યાસુદ્દીન શેખની ટીકીટ જાહેર કરી નથી પણ ટિકિટ મળે તે પહેલાં ગ્યાસુદ્દીન શેખ ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં જોતરાઈ ગયા છે. આપને એ પણ જણાવી દઈએ કે ઓવૈસીના કારણે અમદાવાદ કોર્પોરેશની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન ગયું હતું. આ ચૂંટણીમાં મુસ્લિમ મતોનું વિભાજન થયું હતું. જેથી વિધાનસભા ચૂંટણીમાં મોટો ફટકો ન પડે અને મુસ્લિમ મતો AIMIM તરફ ન આકર્ષાય તેને લઈને અંદરખાને જ હાલના ચાલુ મુસ્લિમ ધારાસભ્યોને મહેનત ચાલુ કરી દેવાના સૂચન કરાયું હોવાનો અંદેશો વ્યક્ત થઈ રહ્યો છે.