કચ્છઃ શહેરમાં મુસ્લિમ સમુદાયે મોટી સંખ્યામાં રેલી યોજી હતી. કચ્છમાં દરગાહ તોડવાના મુદ્દે મુસ્લિમ સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો અને રેલીનું આયોજન કર્યું હતું. રેલીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. SP ASP DYSP PI PSI સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
તો આ સિવાય 6 જેટલાં એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ પણ હાજર હતા. રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે 12 સ્થળોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે. તો છ જેટલાં સીસીટીવી કેમેરા દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી હતી.