સંગીત દુનિયા માં દુનિયા માં તાનસેન નું નામ જયારે જયારે લેવાય છે ત્યારે ત્યારે મહેસાણા જીલ્લાના ઐતિહાસિક નગર વડનગરની બે દીકરીઓ તાના અને રીરીનું નામ પણ અવશ્ય લેવાય છે. સુર સમ્રાજ્ઞી અને સંગીતના સુરો જેમના જીવન સાથે વણાયેલા છે એવી સંગીત બેલડી બે બહેનો તાના અને રીરીની યાદમાં વડનગર મુકામે સંગીત કોલેજ શરુ કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વરદહસ્તે ગાંધીનગર થી વડનગર મુકામે તાનારીરી નામ થી શરુ કરાયેલી પર્ફોમિંગ આર્ટસ કોલેજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તાના-રીરીની યાદમાં શરૂ કરવામાં આવી સંગીત કોલેજ
તાન સેનનું નામ આવે ત્યારે તાના-રીરીને યાદ કરાય છે
વડનગર મુકામે શરૂ કરવામાં આવી સંગીત કોલેજ
સંગીતની દુનિયા માં અમર બની ગયેલી તાના અને રીરી બે બહેનો ની યાદ માં વડનગર મુકામે વિધિવત રીતે તાનારીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ નામ ની સંગીત કોલેજ શરુ કરવા માં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન અને ઐતિહાસિક નગર એવા વડનગરમાં ઘણી ઐતિહાસિક વાતો વણાયેલી છે,,ત્યારે સંગીત સમ્રાજ્ઞી બે બહેનો ની યાદ માં વડનગર મુકામે સંગીત કોલેજ શરુ કરવા માં આવેલી છે.
ગાંધીનગર થી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ તાનારીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ નું ઈ લોકાર્પણ કર્યું છે, આથી કલા સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા અને કલા સંગીતની સુષુપ્ત શક્તિઓને શિક્ષણના માધ્યમથી ઉજાગર કરવા સંગીત કોલેજ શરુ કરવામાં આવી છે. વડનગર મુકામે પ્રથમ સંગીત યુનિવર્સીટી બનાવવાનો નિર્ણય કરાયો હતો પરંતુ સંગીત કોલેજના માધ્યમ થી વિદ્યાર્થીઓનો રસ જાણ્યા બાદ સંગીત યુનિવર્સીટી બનાવવાનો નિર્ણય કરવામાં આવનાર છે.
દીપક રાગથી પીડિત તાનસેનના દાહને પોતાના મલ્હાર રાગના મધુર સુરો થી તાનસેન ને પીડા મુક્ત કરનાર તાનારીરી, ગુજરાતના સંગીત ક્ષેત્રે અદભુત ઘરેણું માનવામાં આવે છે. આથી જ સંગીત સમ્રાજ્ઞી તાના અને રીરીના નામથી હાલમાં વડનગર મુકામે તાનારીરી પર્ફોમિંગ આર્ટસ સંગીત કોલેજનો શુભારંભ કરાયો છે. કારણ કે આ સંગીત બેલડી બહેનોમાંથી પ્રેરણા લઇ સંગીત પ્રેમીઓ સંગીત કલા ક્ષેત્રે આગળ આવે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભર માં વિવિધ સંગીત કાર્યક્રમો ના માધ્યમથી સંગીત કલા મહાકુંભ યોજી 11.28 લાખ કલાકારો ને પ્રોત્સાહિત કર્યા છે પરંતુ હવે કલા સંગીત ક્ષેત્રે યુવાનો અને યુવતીઓ સંગીત શિક્ષણ મેળવી સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો સંગીત કોલેજ ના માધ્યમ થી પ્રયાસ છે.
વડનગર ખાતે શુભારંભ કરવા માં આવેલી તાનારીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ માં ભારત નાટ્યમ,કથ્થક અને કુચીપુડી જેવા નૃત્યો નું શિક્ષણ આપવા માં આવશે,,,તો વળી બીજી તરફ સંગીત ના શાસ્ત્રીય સુરો ના શિક્ષણ સાથે હાર્મોનિયમ,તબલાં,વાંસળી જેવા વિવિધ પ્રકાર ના વાદ્યો નું પણ શિક્ષણ સંગીત કોલેજ માં આપવા માં આવનાર છે..આમ,સંગીત ક્ષેત્રે કલા અને સંગીત માં શિક્ષણ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ડીપ્લોમા,સ્નાતક અને અનુસ્નાતક સુધી સંગીત માં અભ્યાસ કરી કારકિર્દી બનાવી શકશે..