ભારતીય સિનેમા જગતના પીઢ સંગીતકાર ખય્યામનું નિધન થયું છે, તેઓ 92 વર્ષના હતો. નોંધનીય છે કે, સંગીતકાર ખય્યામ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
બોલિવૂડ જગતમાં શોક
આપને જણાવી દઇએ કે, સોમવાર સાંજથી ખય્યામની હાલત વધુ નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડોકટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહી હતી. પ્રખ્યાત સંગીતકારના નિધનને પગલે ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ખય્યામનું પૂરું નામ મોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મી હતું પરંતુ ફિલ્મ જગતમાં તેમને ખય્યામ તરીકેની ખ્યાતિ મળી.
Veteran music composer, Mohammed Zahur 'Khayyam' Hashmi, passed away at a hospital in Mumbai. pic.twitter.com/AdEpxHm661
આપને જણાવી દઇએ કે, કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ મેળવી ચૂકેલા ખય્યામે પોતાના કરિયરની શરૂઆત 1947માં કરી હતી. વો સુબહ કભી તો જાયેગી, જાને ક્યાં ઢૂંઢતી રહેતી હૈ યે આંખે મુઝમે, બુઝા દિએ હે ખુદ અપને હાથો, ઠહરિયે હોશ મેં આ લૂં, તુમ અપના રંજો ગમ અપની પરેશાની મુજે દે દો, શામે ગમ કી કસમ, બહારોં મેરા જીવન ભી સંવારો જેવા અનેક ગીતોમાં પોતાના સંગીતથી ચાર ચાંદ લગાવી ચૂક્યાં છે ખય્યામ.
પ્રથમ વખત ફિલ્મ 'હીર રાંઝા આપ્યું સંગીત
ખય્યામે પ્રથમ વખત ફિલ્મ 'હીર રાંઝા'માં સંગીત આપ્યું હતું પરંતુ મોહમ્મ રફીના ગીત અકેલે મેં વહ ઘબરાતે હોંગેથી તેમને ઓળખ મળી હતી. ફિલ્મ શોલા ઔર શબનમથી તેઓ સંગીતકાર તરીકે ખ્યાતનામ થયા. ખય્યામની પત્ની જગજીત કૌર પણ સારી ગાયિકા છે અને તેમણે ખય્યામ સાથે બાઝાર, શગુન અને ઉમરાવ જાનમાં કામ કર્યુ છે.
ખય્યામનો જન્મ 18 ફેબ્રુારી 1927ના રોજ પંજાબના જલંધર જિલ્લાના નવાબ શહેરમાં થયો હતો. પુરો પરિવાર શિક્ષિત-દીક્ષિત હતો. તેમનો ચાર ભાઇ અને એક બહેનનો પરિવાર હતો. સૌથી મોટા ભાઇ અમીન પરિવારનો ટ્રાન્સપોર્ટ બિઝનેસની દેખભાળ કરતા હતા.
બીજા ભાઇ મુશ્તાક જનરલ મેનેજરના પદ પરથી રિટાયર્ડ થયા. ત્રીજા ભાઇ ગુલઝાર હાશ્મી શાયરી લખતા પરંતુ સોથી નાની ઉંમરમાં દેહાંત થયું. મોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મી ચોથા દિકરા હતા. જેઓ સંગીતના શોખને કારણ ઘર મુકી ભાગ્યા હતા.
માત્ર ખય્યામના મામાને ગીત-સંગીત સાથે લગાવ હતો. તેમણે મુંબઇમાં ખય્યાને બાબા ચિશ્તી સાથે મુલાકાત કરાવી હતી. જેઓ બી.આર ચોપડાની ફિલ્મ યે હે જિંદગીનું સંગીત તૈયાર કરતા હતા. બાબાએ તેમને પોતાના સહભાગી બનાવ્યા પરંતુ કોઇ નાણા પ્રાપ્ત થયા નહીં