યુવરાજ સિંહે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે ત્યારે તેનો એક એવી ભેટ મળવા જઇ રહી છે જેને યુવરાજ પોતે અને આખી દુનિયા યાદ રાખશે...
ચંદીગઢમાં જન્મેલા સિક્સર કિંગના નામે ફેમસ યુવરાજ સિંહે સેક્ટર 16 ક્રિકેટ સ્ટેડિયમથી ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ઇન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના સમાચાર મળતા જ તેના મિત્રો, ટીમ ઇન્ડિયાના સાથીઓ અને તેની સાથે રમેલા ક્રિકેટર્સ તથા કોચે સોશ્યલ મીડિયા પર તેની સાથેની યાદગાર ક્ષણો જણાવી. પજાંબ ક્રિકેટ એસોસિયેશન આગામી મીટિંગમાં યુવરાજ સિંહના સંન્યાસ પર એક સન્માનનું પ્લાનિંગ કરી રહી છે.
તો બીજી તરફ ડીએવી કૉલેજ પોતાના સ્ટાર ખેલાડી માટે મ્યૂઝિયમમાં એક ખાસ જગ્યા બનાવશે. જ્યાં યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરથી જોડાયેલી તમામ યાદગીરોઓને મૂકવામાં આવશે, જેથી કોલેજના વિદ્યાર્થીઓ તેના વિશે વધારે જાણી શકે. યુવરાજે ડીએવી કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ. ટીમ ઇન્ડિયાને 2007માં T-20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહ તાજેતરમાં જ પોતાના સંન્યાસની જાહેરાત કરી.
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પોતે એક ક્રિકેટર રહ્યા. યુવરાજને સ્ટેડિયમ 16માં ક્રિકેટની ટ્રેનિંગ આપનાર કોચ હરિશ શર્માએ જણાવ્યુ કે, ''યુવરાજ સિંહ બાળપણમાં ખૂબ જ મહેનત કરતો હતો. ભર તડકામાં પણ તે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો હતો, તેની આ મહેનતને કારણે તેણે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યુ. ટીમ ઇન્ડિયામાં તેનું સ્થાન અલગ હતુ અને તેની ક્રિકેટ રમવાની સ્ટાઇલથી તમામ લોકો પ્રભાવિત થતા.''