RSSના એક કાર્યકર, તેની ગર્ભવતી પત્ની અને એના 8 વર્ષના બાળકની ઘાતકી હત્યા કરવાની ઘટના પશ્ચિમ બંગાળના મુર્શદાબાદમાં બની હતી. જેને લઇને રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં કોઈ રાજકીય દખલ નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે ભાજપના નેતા મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું હવે શા માટે ચૂપ છે એવોર્ડ વાપસી ગેંગ. તો આ હત્યાકાંડને લઇને મમતા સરકારને મહિલા આયોગે ફટકાર લગાવી છે.
ત્રિપલ હત્યાકાંડ પર રાષ્ટ્રીય મહિલા આયોગે આકરૂં વલણ દાખવ્યું
મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું હવે શા માટે ચૂપ છે એવોર્ડ વાપસી ગેંગ
અમારી વહુ 7 મહિનાથી ગર્ભવતી હતીઃ પરિવારજન
રાજ્યપાલે વ્યકત કર્યુ દુ:ખ
જો કે આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડે દુ:ખ વ્યક્ત કર્યું છે અને સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે. રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિસાદ નથી. કાર્યવાહી પર ઢાંકપીછોડો થશે તો ખૂબ જ ગંભીર ગણાશે.
રાજ્યપાલે કહ્યું કે, મુર્શિદાબાદ જિલ્લામાં શાળાના શિક્ષક, તેમની પત્ની અને પુત્રની અમાનવીય બર્બર હત્યાથી હું સ્તબ્ધ, વ્યથિત અને દુઃખી છું. આ ઘટના રાજ્યના હાલાત અને પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે.
Jagdeep Dhankhar, West Bengal Guv on murder of a teacher-cum-RSS worker,his wife&child in Murshidabad: There has been no response from state machinery so far,this is a serious reflection on the situation in which we are living. I have spoken to the authorities & sought an update. pic.twitter.com/hG6LAXDwnE
ત્યારે આ મામલે મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચટર્જીએ કહ્યું કે મુર્શિદાબાદ કાંડને લઇને મર્યાદા ઓળંગી રહ્યા છે ગવર્નર,
મુર્શિદાબાદ કાંડમાં મમતા સરકારને ફટકાર
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ત્રિપલ હત્યાકાંડ પર રાષ્ટ્રીય મહિલા આયોગે આકરૂં વલણ દાખવ્યું છે. મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ડીજીપીને પત્ર લખ્યો અને રિપોર્ટ માંગ્યા છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે રિપોર્ટ માંગ્યા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ત્રિપલ હત્યાકાંડને અંજામ આપ્યો છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી. મૃતકોમાં શાળાના શિક્ષક બંધુ પ્રકાશ, તેમની ગર્ભવતી પત્ની અને 8 વર્ષીય બાળક સામેલ છે. જેમાં મહિલા આયોગે આ મામલે પોલીસની નિષ્ક્રીયતા પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકારને ફટકાર પણ લગાવી છે. સાથે જ આયોગે આ મામલે રિપોર્ટ પણ માંગી છે.
મૃતક બંધુ પ્રકાશ પાલનો આરએસએસ સાથે સંબંધ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો આ હત્યાકાંડને લઇને દાવો છે કે મૃતક બંધુ પ્રકાશ પાલનો આરએસએસનો સભ્ય હતો. ત્યારે ત્રિપલ હત્યાકાંડ બાદ મૃતકના પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.
અમારી વહુ 7 મહિનાથી ગર્ભવતી હતીઃ પરિવારજન
પરિવારના એક સભ્ય અને મૃતક બંધીના માસીનું કહેવું છે કે તે મારી બહેનનો એક માત્ર દીકરો હતો. અમારી વહુ 7 મહિનાથી ગર્ભવતી હતી. રાત્રે 12 વાગ્યે આ હત્યાકાંડ વિશે જાણ થઇ. તેમણે જણાવ્યું કે બંધુ પ્રાઇમરી શાળામાં શિક્ષક હતા અને બે વર્ષથી અહીં રહેતા હતા.