રોહિત શર્મા દુનિયાના સૌથી શાનદાર ઓપનિંગ બેસ્ટમેન છે. તેમના રિટાયરમેન્ટ સુધી કોઈ પણ ખેલાડી તેમને ટીમમાંથી રિપ્લેસ નહી કરી શકે.
મુરલી વિજય એક સમયે ટીમ ઈન્ડિયાના સૌથી ભરોષાપાત્ર ઓપનર હતા
રોહિત શર્માએ ટીમથી તેમનું પત્તી સંપૂર્ણ રીતે કાપી નાખ્યું
વિજયને ફરી ટીમમાં ક્યારેય જગ્યા મળી શકશે?
ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા દુનિયાના સૌથી શાનદાર ઓપનિંગ બેસ્ટમેન છે. વન ડે અને ટી 20 બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ રોહિતે સાબિત કરી દીધુ છે કે તેમને કેમ હાલના સમયમાં બેસ્ટ બેસ્ટમેન માનવામાં આવે છે. પરંતુ રોહિતે જ્યારથી દરેક ફોર્મેટના ઓપનિંગ સ્લોટ પર પોતાનો કબ્જો કર્યો છે ત્યારથી જ એક ખેલાડી એવો પણ છે જે ટીમમાં પોતાની જગ્યા નથી બનાવી શક્યો.
લગભગ ખતમ થયું આ ખેલાડીનું કેરિયર
ભારતીય ટેસ્ટ ટીમના ઓપનિંહ બેસ્ટમેન મુરલી વિજય એક સમયે ટીમ ઈન્ડિયાના સૌથી ભરોષાપાત્ર ઓપનર હતા. પરંતુ પાછલા અમુક વર્ષોથી વિજયને ટીમમાં જગ્યા નથી આપવામાં આવી. ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુરલી વિજયને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યાર બાદ પહેલે મયંક અગ્રવાલ અને બાદમાં રોહિત શર્માએ ટીમથી તેમનું પત્તી સંપૂર્ણ રીતે કાપી નાખ્યું. હવે એવું લાગતું પણ નથી કે વિજયને ફરી ટીમમાં ક્યારેય જગ્યા મળી શકશે.
એવું રહ્યું છે મુરલી વિજયનું કરિયર
મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 61 મેચ રમી હતી. જેમાં તેમણે 3982 રન બનાવ્યા. તે સમયે તેમણે બેટથી 12 સેન્ચુરી પણ બનાવી. વનડે અને ટી 20 ક્રિકેટમાં તેમણે વધારે તક ન હતી મળી અને તે કંઈ ખાસ કરી પણ ન શક્યા. પાછલા 3 વર્ષથી તે ટીમની બહાર છે અને હવે રોહિત શર્મા અને કેએલ રાહુલની ફોર્મને જોતા લાગી રહ્યું છે કે તેમણે આવનાર સમયમાં ટીમમાં જગ્યા મળી પણ નથી.