રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
રાજસ્થાનમાંથી આવ્યા સનસનીખેજ સમાચાર
એક પરિવારના પાંચ લોકોની હત્યા કરી કુવામાં ફેંકી દીધા
આખા વિસ્તારમાં માતમ છવાયો
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જયપુરમા દૂદૂ વિસ્તારમાં ત્રણ મહિલા અને બે બાળકોની હત્યા કર્યા બાદ કુલ 5 લાશો કુવામાંથી મળી આવી છે. જેમાંથી ત્રણ મહિલાના મોત થઈ ગયા છે, તેમાંથી બે તો ગર્ભવતી હતી.
દહેજની લાલચમાં આવીને હત્યા કરી હોવાનો દાવો
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સાસરિયાવાળાઓએ દહેજની લાલચમાં આવીને ત્રણ મહિલાઓ અને બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધી છે. જે મહિલાઓના મૃતદેહો મળી આવ્યા છે, તેમાં કાલુદેવી અને તેમની બે બહેનો છે.
ત્રણ મહિલામાંથી બે તો ગર્ભવતી હતી
કાલુ દેવીના બે બાળકો (એક ચાર વર્ષ અને બીજો 27 દિવસ)ના મૃતદેહ પણ મળી આવ્યા છે. તો વળી તેમની બે બહેનો મમતા દેવી અને કમલેશની લાશપણ ઘરથી બે કિમી દૂર કુવામાંથી મળી આવી છે. કાલુ દેવીની બે બહેનો ગર્ભવતી હતી અને તે કોઈ પણ સમયે બાળકોને જન્મ આપવાની હતી. એક સાથે પાંચ મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ
આ ઘટનાસ્થળે પોલીસના ટોચના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને કુવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કોશિશ કરી હતી. આપને જણાવી દઈએ કે, બુધવારે સાંજે 3 સગી બહેનો સાથે તેમના બે સંતાનો ગુમ થયા હતા.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, પંદર દિવસ પહેલા સૌથી મોટી બહેનને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેની આંખો પર ગંભીર ઈજાઓ પણ થઈ હતી. તે હાલમાં જ દવાખાને થી પાછી આવી હતી. આ બાજૂ સાસરિયાવાળા તરફથી સતત દહેજ માટે માગણી કરવામા આવી રહી હતી.