કપૂર હોસ્પિટલના અટોપ્સી સ્ટાફે સુશંતના મોતને મર્ડર ગણાવ્યું છે. આ દાવા બાદ રિયા ચક્રવર્તીની ક્રિપ્ટિક પોસ્ટ સામે આવી છે.
અટોપ્સી સ્ટાફે સુશંતના મોતને મર્ડર ગણાવ્યું
દાવા બાદ રિયા ચક્રવર્તીની ક્રિપ્ટિક પોસ્ટ આવી સામે
બે વર્ષ બાદ પણ નથી ઉકેલાઈ સુશાંતની મર્ડર મિસ્ટ્રી
14 જૂન 2020, એ દિવસ હતો જ્યારે બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું. એક્ટરના મોતના બે વર્ષ પસાર થઈ ગયા પરંતુ તેની મર્ડર મિસ્ટ્રી હજુ સુધી સુધરી નથી. સુશાંતના મોતને સુસાઈડ ગણાવવામાં આવી છે. પરંતુ એક્ટરની ફેમિલી તેને મર્ડર માને છે.
પાછલા ઘણા મહિનાઓથી સુશાંતનો કેસ શાંત પડેલો હતો. પરંતુ હાલમાં જ કેસ ફરી ઉછળ્યો છે. કારણ કે કપૂર હોસ્પિટલને અટોપ્સી સ્ટાફે હિંટ આપી છે કે એક્ટરનું મર્ડર થયું હતું.
રિયાની પોસ્ટમાં શું લખ્યું છે?
આ સનસની દાવા બાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ક્રિપ્ટિક પોસ્ટ સામે આવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર થયેલા રિયાના આ મેસેજમાં લખ્યું છે- તમે આગળથી પસાર થયા છો, તુફાનથી પોતાને બચાવ્યા, શૈતાનની ઉપર જીત મેળવી આ વાતને યાદ રાખો જ્યારે આવતી વખતે તમે પોતાની તાકાત પર શક કરો.
મહત્વનું છે કે રિયા અને સુશાંત સિંહ રાજપૂત રિલેશનમાં હતા. સુશાંત મોત કેસમાં એક્ટરના પરિવારે રિયાને દોષી જાહેર કરી છે. સુશાંતના પિતાનો આરોપ હતો કે રિયાના કારણે સુશાંતનો જીવ ગયો છે. રિયા અને તેના ભાઈ પર સુશાંતના ડ્રગ્સ આપવાનો આરોપ પણ લાગ્યો છે. રિયાને જેલ પણ થઈ. હાલ રિયા જેલથી બગાર છે અને પોતાના જીવનની નવી શરૂઆત કરી રહી છે.
સુશાંતના મોત પર શું છે દાવો?
સુશાંતનું પોસ્ટમોર્ટમ મુંબઈના કપૂર હોસ્પિલમાં થયું હતું. થોડા દિવસો પહેલા આ હોસ્પિટલમાં એક સ્ટાફ મેમ્બરનું નિવેદન સામે આવ્યું હતું. સ્ટાફ મેમ્બરે દાવો કર્યો કે સુશાંતની બોડીને જોઈ તેમને ન લાગ્યું કે આ સુસાઈડનો મામલો હતો. ANI સાથે વાતચીતમાં રૂપ કુમાર શાહે કહ્યું હતું કે જ્યારે સુશાંતનું મોત થયું હતું ત્યારે અમને કપૂર હોસ્પિટલમાં 5 મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મળ્યા હતા.
તેમાંથી એક VIP મૃતદેહ હતો. જ્યારે અમે પોસ્ટમોર્ટમ માટે ગયા તો મૃતદેહ સુશાંત સિંહ રાજપૂતનો હતો. તેના શરીર પર ઘણા નિશાન હતા. ગળા પર પણ બે ત્રણ નિશાન હતા. સુશાંતની બોડી જોવામાં અલગ લાગી રહી હતી. હું મારા સીનિયરની પાસે ગયો અને કહ્યું કે સુસાઈડના મામલો નથી લાગી રહ્યો. સુશાંતના ગળા પર જે નિશાન હતા તે ફંદાથી લટકીને આવે તેવા ન હતા.