મહુવાઃ ભાવનગરના મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પર ચાર શખ્સો દ્વારા હુમલો કરી છરીના ઘા મારી દેતા યુવાનને ગંભીર હાલતમાં ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર અર્થે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે VHP પ્રમુખની હત્યાના પગલે સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇને મહુવામાં કેટલીક દુકાનોમાં ટોળાએ તોડફોડ કરી હતી.
મહુવાના ગાધકડા બજારમાં તોડફોડ કરવામાં આવી હતી. અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. કેટલીક જગ્યા આગ ચંપીની ઘટના બની હતી. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ટોળાને વિખેરવા માટે 1 ટીયર ગેસનો સેલ છોડ્યો હતો. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે મહુવાના વી.એચ.પી.ના પ્રમુખ જયેશ ગુજરીયાને 4 શખ્સ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેની દાઝ રાખી બાપુડી અસ્લમ પે ઇમરાન અને એક અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકી હુમલો કરાયો હતો. જેને લઇને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.