લીલીયાના બવાડા ગામે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા વૃદ્ધ દંપતીની હત્યા કરી દેતા પંથકમાં ચકચારી મચી, તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
અમરેલીના લીલીયાના બાવડા ગામે વૃદ્ધ દંપતીની હત્યા
ખેતી કરીને રોજી ચલાવતા વૃદ્ધ દંપતીની કરાઈ હત્યા
તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અપાયો અંજામ
અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરી દેવાઈ. તીક્ષ્ણ હથિયારના ઘા વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ગામમાં કોઈને પણ હત્યાની જાણ હતી નહીં. પરંતુ લાંબા સમય સુધી ઘરના દરવાજા બંધ રહેતા, લોકોને આશંકા ગઈ હતી. અને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ અમરેલી જિલ્લા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથધરી છે.
લીલીયાના બવાડા ગામના વૃદ્ધ દંપતી ભીમજીભાઇ ભગવાનભાઈ દુઘાત (ઉ.વ.72) અને તેમના પત્ની લાભુબેન દુધાત(ઉ.વ.67)ની હત્યા કરી દેતા પંથકમાં ચકચારી મચી છે. આ બંને વૃદ્ધ દંપતી પોતાની 12 વિઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને 4 સંતાનો છે જેમાં 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. પુત્ર સુરત ખાતે ટેકસટાઇલ ઉદ્યોગમાં નોકરી કરે છે અને તે સુરતમાં જ વસવાટ કરે છે. તો 3 દીકરીઓ પરણિત હોવાથી સાસરિયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા.
એક દિવસ એવો આવ્યો કે આ બંને વૃદ્ધોની હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર બંને વૃદ્ધોની 17 જૂનના રોજ સાંજના સાડા 7 વાગ્યાથી લઈને 18 તારીખના રોજ સાંજના 6 વાગ્યા પહેલા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો. મૃતકોના ભત્રીજા અને ફરિયાદી હિમતભાઈ દુધાતને તેમનાને કાકાનું કામ હોવાથી તેમના ઘરે જતા કોઈએ દરવાજો ખોલ્યો નહીં. આ કારણે મકાનમાં અંદર જઈને જોતા. કાકા અને કાકીની હત્યા નિપજાવી દેવામાં આવેલ લાશ મળો આવી હતી.
ઓસરીમાં લોહી લુહાણ હાલતમાં બંને વૃદ્ધ દંપતીની લાશ પર મોટા તીક્ષ્ણ અને બોથડ હીથીયારોના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવેલ હાલતમાં લાશ મળી આવી હતી. અને ઘરવખરી તેમજ સરસામાન વેર વિખેર કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને તેમના ભત્રીજાએ સ્થાનિક સરપંચ સહિતના ગામ લોકોને જાણ કરી. અને પોલીસ પહોંચી. લાશને પીએમ અર્થે લીલીયા અને ત્યાર બાદ ભાવનગર ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.