રાજ્યના છેવાડે આવેલા અદ્યોગિક નગરી વાપીના ચલામાં માત્ર રૂપિયા 500 માટે એક નિર્દોષની હત્યા કરી દેવાઈ
હત્યાનો ભેદ ઉકેલાયો
લૂંટના ઇરાદે હત્યા કરાઇ
વાપી ટાઉન પોલીસે ભેદ ઉકલ્યો
વાપીના ચલા વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ બુનમેક્ષ સ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં ગત અઠવાડીયે રાત્રે અમરસિંહ ડામોર નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી. મૃતક અમરસિંહ ડામોર બે મહિના અગાઉ જ રોજગારી માટે રાજસ્થાનથી વાપી આવ્યા હતા. વાપીના ચલા વિસ્તારમાં શ્રમજીવી વિસ્તારમાં રહેતા પોતાના બેન અને બનેવી સાથે રહેતા હતા. અને કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે તેમની કોઇ અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
મૃતક અમરસિંહ ડામોર જિલ્લા દોઢ મહિનાથી પોતાના વતન બાંસવાડાથી વાપી પેટીયુ રળવા આવ્યો હતો. મૃતક આવતા બે-ત્રણ દિવસમાં પોતાના વતન જવાનો હતો. જેને લઇને તેણે ત્રણથી ચાર હજાર રૂપિયા પણ ભેગા કર્યા હતા અને સ્થાનિકોનું માનીએ તો, મોડીરાત સુધી તે સ્થાનિક યુવાનો સાથે આ મેદાનમાં જોવા મળ્યો હતો. જોકે રાત બાદ તમામ લોકો પોતાના ઘરે ગયા અને વહેલી સવારે આ મેદાનમાંથી યુવાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઇને મૃતકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકની પત્ની અને તેનું બાળક તેના માદરે વતન રહે છે. ત્યારે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
હત્યાના આ ગુનામાં વાપીના મુક્તાનંદ માર્ગ પર રહેતા વિશાલ હસમુખભાઈ હળપતિની ધરપકડ કરી છે. આ રીઢા આરોપીએ કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય એક સગીરની પણ લૂંટ અને હત્યા માટે મદદ લીધી હતી. બંને આરોપીઓ ઘટનાના દિવસે પૈસાની જરૂર હોવાથી લૂંટના ઇરાદે પહોંચ્યા હતા. એ વખતે જ મૃતક અમરસિંહ ડામોર ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીની સાથે મળી વિશાલ હળપતિએ મૃતક પર જીવલેણ હુમલો કર્યો હતો.
ત્યારબાદ બેહોશ થઈ ગયેલા મૃતક અમરસિંહ ડામોરના પાસે રહેલા થેલામાં તપાસ કરતાં. માત્ર 500 રૂપિયા નિકળ્યા હતા. આથી શિકાર પાસેથી માત્ર 500 રૂપિયા જ મળતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને આવેશમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. આમ આરોપીઓએ માત્ર 500 રૂપિયા માટે એક નિર્દોષની હત્યા કરી એક પરિવારને જીવનભરનું દુઃખ આપ્યું છે.
ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મૃતકનો મૃતદેહ પણ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો આથી. પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે શ્રમજીવી પરિવારમાં માત્ર બે મહિના અગાઉ જ રાજસ્થાનથી વાપી આવેલા અમરસિંહની હત્યા કોણે ?? અને કેમ કરી....??? તે અંગે એક મોટું રહસ્ય સર્જાયું હતું. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે આ સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અને 2 આરોપીઓને પણ દબોચી લીધા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જે વાત બહાર આવી છે. તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, મૃતક અમરસિંહની હત્યા માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે જે કરવામાં આવી હતી. ગંભીર વાત એ છે કે, હત્યાના ગુનામાં પોલીસના હાથે લાગેલા બે આરોપીઓમાં એક આરોપી સગીર વયનો છે. પોલીસે હત્યાના આ ગુનામાં વાપીના મુક્તાનંદ માર્ગ પર રહેતા વિશાલ હસમુખભાઈ હળપતિની ધરપકડ કરી છે. આ રીઢા આરોપીએ કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય એક સગીરની પણ લૂંટ અને હત્યા માટે મદદ લીધી હતી.