અમદાવાદ મહિલાઓ ઉપર દુષ્કર્મ મામલે તો ગુજરાતની રાજધાની છે જ પણ હવે સરાજાહેર કોટ વિસ્તારમાં એક યુવાનની હત્યાને મામલે અમદાવાદની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં ગુંડા તત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે ગુનેગારોને કોઈનો ડર જ નથી. ત્યારે ગુજરાત પોલીસ આ મામલે શું પગલા લે છે તે જોવું રહ્યું.
અમદાવાદના શહેર કોટડામાં યુવકની હત્યા
જયેશ સોલંકી નામના યુવકની કરાઇ હત્યા
નજીવી બાબતે બોલાચાલી થતા કરાઇ હત્યા
અમદાવાદના શહેર કોટડામાં યુવકની હત્યા કરવામાં આવી છે. જયેશ સોલંકી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરી નાખવામાં આવી છે. આરોપી તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરીને ફરાર થઇ ગયો છે. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કયાં ઘટી ઘટના
શહેરની ત્રિકમલાલની ચાલીના નાકા પાસે આજે વહેલી સવારે ત્રણ વાગ્યે જયેશ પ્રવીણ સોલંકી (ઉ.વ. 28)ની હત્યા કરવામાં આવી છે. આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
કોણ છે આરોપી
હત્યાનો આરોપી સોહમ ઉર્ફે રાજા મહેશ સોલંકી(ઉ.વ.21) સામે પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ 14 ડિસેમ્બરની મોડી રાત્રે જયેશ સોલંકી તેના સાઢુભાઈ ઉર્વલ વાણીયા સાથે મોટરસાઈકલ લઈ ફરવા નીકળ્યો હતો જે દરમિયાન રાતે 3 વાગ્યે સોહમ ઉર્ફે રાજા(રહે. ત્રિકમલાલની ચાલી, સરસપુર) તથા બીજા લોકો તાપણું કરી બેઠેલા હતા. મોડી રાતે આમ તાપણું કરીને બેઠેલા યુવાનોને જયેશે ટકોર્યા હતા અને કહ્યુ હતુ કે ઘરભેગા થાઓ. બસ આવડી અમથી વાતે ઝઘડાનું સ્વરૂપ લઈ લીધુ.
વોરાના રોઝા પાસે હુલાવી દીધી છરી
સોહમે જયેશને પડકારીને વોરાના રોઝા પાસે બોલાવી પતાવી દીધો હતો. પેટમાં છુરી હુલાવી દેતા જયેશને શારદાબેન લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.