ગાઝિયાબાદના મુરાદનગરમાં શ્મશાન દુર્ઘટનાનો મુખ્ય આરોપી અજય ત્યાગી પોલીસ કસ્ટડીમાં આવી ચૂક્યો છે. ઘટના બાદ તે ફરાર હતો. ગાઝિયાબાદ પોલીસે આરોપી અજય ત્યાગી પર 25 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું છે. ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અને સાથે કહેવાયું છે કે ખરાબ બાંધકામના કારણે આ છત પડી હતી.
દુર્ઘટનાનો મુખ્ય આરોપી ઠેકેદાર અજય ગિરફ્તાર
સોમવારે મોડી રાતે પોલીસના હાથે લાગ્યો
પોલીસે 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું
આ કેસમાં ઠેકેદાર નગરપાલિકાની કાર્યપાલન અધિકારી સહિત લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસમાં ઈઓ, એન્જિનિયર અને સુપરવાઈઝરની પણ ધરપકડ કરાઈ હતી. જ્યારે ઠેકેદાર ફરાર હતો. આરોપી ઠેકેદાર અજય ત્યાગીને સોમવારે મોડી રાતે પકડી લેવાયો છે.
આ રીતે નોંધાયો કેસ અને આટલી કલમો થઈ લાગૂ
આ કેસમાં મુરાદનગર નગરપાલિકાની કાર્યપાલન અધિકારી નિહારિકા સિંહ, જેઈ ચંદ્રપાલ, સુપરવાઈઝર આશીષ, ઠેકેદાર અજય ત્યાગી અને અન્ય અજ્ઞાતની વિરુદ્ધમાં કેસ નોંધાયો છે. તેના વિરુદ્ધ કલમ 304, 337, 338, 427, 409 ના આધારે મુરાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ ચાલી રહ્યો છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે આ કેસમાં તપાસ અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા તો પીએમ મોદીએ પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.
પોલીસ તપાસમાં આ વાત આવી સામે
પોલીસે પોતાની તપાસમાં શ્મશાન ઘાટમાં છત બનાવનારા ઠેકેદાર, નગરપાલિકાના એન્જિનિયર અને ઓફિસરોને બેજવાબદાર ગણાવ્યા છે. ઘટના બાદની તસવીરો અને હાજર લોકોના નિવેદનથી જાણવા મળ્યું છે કે શ્મશાન ઘાટમાં લોકોને પાણી અને તડકાથી બચાવવા માટે બનનારી આ છત મોતનું કારણ બની છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે મુરાદનગરમાં શ્મશાનની છત પડી જવાથી 25 લોકોના મોત થયા હતા. પોલીસના આધારે ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન મુરાદનગરના ઉખલારસી ગામમાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાથે પરિજન અને સંબંધીઓ મૃત વ્યક્તિના દાહ સંસ્કાર માટે શ્મશાન ઘાટ પહોંચ્યા હતા. પરિજન મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા ત્યારે જ છત પડી હતી.