બીજી સિઝનને પણ ભરપૂર પ્રેમ મળ્યો છે. બીજી સિઝનમાં મુન્નાભૈયાનું મોત બતાવવામાં આવ્યું છે, જેનાથી લોકો અટકળો લગાવવામાં આવી રહી છે કે ત્રીજી સિઝન વીક હશે પરંતુ મુન્ના ભૈયાએ હિન્ટ આપી છે કે તે ત્રીજી સિઝનમાં પણ હશે.
દિવ્યેન્દુએ આપ્યા સંકેત
મિડીયા રિપોર્ટ અનુસાર, વૅબ સિરીઝની ત્રીજી સિઝનમાં મુન્ના ત્રિપાઠીનો ભૌકાલ રહેશે જ. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મુન્નાએ જાતે જ કહ્યું હતું કે તે ત્રીજી સિઝનમાં પણ હશે જ. તેણે કહ્યું કે, સાયન્સમાં એક થિયરી છે જેમાં દુનિયામાં માત્ર 2% જ એવા લોકો છે જેનું હ્રદય જમણી બાજુ હોય છે.
આ ઇન્ટરવ્યૂ બાદ દિવ્યેન્દુએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાને અમર ગણાવ્યો હતો. ગુરમીત સિંહ અને મિહિર દેસાઇ દ્વારા ડાયરેક્ટેડ આ સીરીઝના અંતમાં ગોલુ મુન્ના ત્રિપાઠીને મારવા માટે તેની છાતીની જમણી બાજુ પિસ્તોલ રાખે છે અને ગુડ્ડુ પંડિત ગોલુનો હાથ પકડીને મુન્નાની છાતીની ડાબી બાજુ હ્રદય પાસે પિસ્તોલ રાખી દે છે. જો મુન્નાનું હ્રદય જમણી બાજુ છે તો પૂરેપૂરી આશા છે કે મુન્ના ભૈયા ત્રીજી સિઝનમાં પણ દેખાઇ શકે છે.